Fri,26 April 2024,9:55 am
Print
header

કોંગ્રેસના જીતેલા ધારાસભ્યો ભાજપમાં જતા રહેશે, વોટ બગાડતા નહીં અમને આપજોઃ કેજરીવાલ- Gujarat Post News

ગુજરાતમાં આ વખતે ભગવાન ચમત્કાર કરવાના છેઃ કેજરીવાલ 

કેજરીવાલનો કોંગ્રેસ પર પ્રહાર, આ લોકોની પાંચથી પણ ઓછી બેઠકો આવશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન આડે હવે ગણતરીના દિવસો બાકી છે. ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ જીત માટે એડિચોટીનું જોર લગાવી રહ્યાં છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વીડિયો શેર કરીને કોંગ્રેસની ઝાટકણી કાઢી છે અને AAPના ઉમેદવારને વોટ આપવા અપીલ કરી છે.

વીડિયોમાં કેજરીવાલે જણાવ્યું કે, 'કોંગ્રેસને વોટ આપવાનો અર્થ વોટ બગાડવો થાય છે. આ વખતે કોંગ્રેસની સરકાર બનવાની નથી. આ વખતે કોંગ્રેસને 5થી પણ ઓછી બેઠકો મળવાની છે. કોંગ્રેસની સીટ પરથી જીતેલા  તમામ ધારાસભ્યો ભાજપમાં જતા રહેશે. આ વખતે આમ આદમી પાર્ટીનો માહોલ છે.જો તમારો મત આમ આદમી પાર્ટીને મળી જાય તો અમારી સરકાર બનશે.

અરવિંદ કેજરીવાલે કહ્યું કે, 'આ વખતે ભગવાન મોટો ચમત્કાર કરશે. જેથી તમે પણ ભગવાનની ઈચ્છા અનુસાર આ પરિવર્તનનો ભાગ બનો. આમ આદમી પાર્ટીને મત આપો.' ગુજરાત વિધાનસભા ચૂંટણીનું 1 ડિસેમ્બરના રોજ પ્રથમ તબક્કાનું અને 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થશે, જ્યારે 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch