Fri,19 April 2024,5:49 pm
Print
header

રાજ્યના રોડ રસ્તા પર યમરાજાના વધ્યા આંટા ફેરા, બે અકસ્માતમાં 4 લોકોનાં મોત

અમદાવાદઃ રાજ્યના રોડ રસ્તા રક્તરંજિત થવાનો સિલસિલો યથાવત છે. બે અકસ્માતમાં 4 લોકોનાં કરૂણ મોત થઇ ગયા છે. સુરેન્દ્રનગર ચોટીલા હાઇવે પર વણકી ગામના પાટિયા પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક મહિલા સહિત બે વ્યકિતઓનાં મોત નિપજ્યાં છે. અન્ય ત્રણ વ્યકિતઓને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. પ્રાથમિક તપાસમાં રાજકોટથી નડિયાદ તરફ કારમાં પરિવાર જઈ રહ્યો હતો. દરમિયાન અક્સ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

વલસાડના નેશનલ હાઇવે નં.48 પર કાર અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં એક યુવકનું મોત થયું છે. વલસાડ નેશનલ હાઈવે પર ટ્રક પાછળ કાર ઘૂસી જતા કારના ફૂરચા ઉડી જતાં કાર ચાલકનું કરૂણ મોત થયું હતું. મૃતક યુવકનું નામ પ્રશાંત પટેલ છે. તે દમણની આલકેમ ઈન્ડસ્ટ્રીમાં નોકરી કરતા હતા. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આજે વહેલી સવારે આણંદના ભાદરણ પાસે સ્કૂલ બસને અકસ્માત નડ્યો હતો.જેમાં ત્રણથી ચાર વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch