Fri,26 April 2024,10:50 am
Print
header

અમરેલી: રાજુલામાં ગમખ્વાર અકસ્માત, ટ્રકે ટક્કર મારતા એક જ પરિવારના ત્રણ લોકોનાં મોત

અમરેલી: જિલ્લાના રાજુલામાં (Rajula) આજે એક ગમખ્વાર અકસ્માતની (Accident) ઘટના સામે આવી હતી. રાજુલાના ચારનાળા રોડ પર એક ટ્રકે ટક્કર મારતા એક જ પરિવારના ત્રણ સભ્યોનાં મોત થયા છે. મૃતદેહો એટલી વિકૃત સ્થિતિમાં હતા કે તેને ઉઠાવવાની પણ કોઈની હિંમત થઈ શકતી નહોતી, 108ના સ્ટાફની મદદથી મૃતદેહોને પોસ્ટમોર્ટ માટે લઈ જવામાં આવ્યાં હતા.

બનાવની વિગત એવી છે કે આજે બપોરના સમયે રાજુલાના બિસ્માર એવા ચારનાળા રોડ પર એક અકસ્માતની ઘટના ઘટી હતી. મોટર સાયકલ પર સવાર એક પુરૂષ મહિલા અને બાળકનું અકસ્માતમાં ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતુ, પ્રાથમિક વિગતો મુજબ મૃતક વ્યક્તિઓ એક પરિવારના જ સભ્યો એટલે કે માતા-પિતા અને પુત્ર હતા આમ માતાપિતા અને પુત્ર એકબીજાની નજર સામે કાળનો કોળિયો બની ગયા હતા. બેફામ બનેલા ટ્રકના ગમખ્વાર અકસ્માતે આખા પરિવારને સાફ કરી નાખ્યો છે. ઘટનાની જાણ થતા રાજુલા-જાફરાબાદ મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય હીરા સોલંકી દોડી આવ્યાં હતા. હીરા સોલંકીને જોઈને મૃતકના પરિવારજનોએ હૈયુ હચમચાવી નાખતું આક્રંદ કર્યું હતું. હીરાભાઈ સોલંકીએ મૃતકોના પરિવારને સાંત્વાના આપી હતી. હાલમાં પોલીસે ગુનો દાખલ કરીને આ ઘટનાની તપાસ શરૂ કરી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch