નેહા સરગમ ટીવીની લોકપ્રિય અભિનેત્રી છે. તેણે ઘણી ટીવી સિરિયલોમાં કામ કર્યું છે.તે વેબ સિરીઝ મિર્ઝાપુર-2માં પણ જોવા મળી ચૂકી છે. તેણે સલોની ત્યાગીનો રોલ કર્યો હતો. તે દદ્દા ભરત ત્યાગીની પત્ની બની હતી. નેહા સરગમનો જન્મ પટનામાં થયો હતો. અહીંથી જ તેણે પોતાનું શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યું હતું. પછી તેણે પટના યુનિવર્સિટીમાંથી એડવર્ટાઇઝિંગ, સેલ્સ પ્રમોશન અને માર્કેટિંગમાં ગ્રેજ્યુએશન કર્યું હતું.