Fri,03 May 2024,1:22 am
Print
header

સુરતમાં મોડી રાત્રે એક બસે 4 વાહનોને મારી ટક્કર, એક વ્યક્તિનું મોત, 8 લોકો થયા ઘાયલ

સુરતઃ કતારગામના ગજેરા સર્કલ પાસે મોડી રાત્રે એક બસે 4 વાહનોને ટક્કર મારતા આ અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં 1 વ્યક્તિનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતુ, અને 8 લોકો ઘાયલ થતા નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર શાલિની અગ્રવાલે આ અકસ્માત વિશે જણાવ્યું કે બસે અનેક વાહનોને ટક્કર મારી હતી. લગભગ નવ લોકો ઘાયલ થયા હતા, પરંતુ તેમાંથી એકનું મોત થયું હતું. આઠ ઘાયલોની સારવાર ચાલી રહી છે. આ મામલે પોલીસ તપાસ ચાલી રહી છે. તપાસ બાદ સુરત મહાનગરપાલિકા તમામ જરૂરી કાર્યવાહી કરશે.

કેવી રીતે થયો અકસ્માત ?

સુરતમાં 'બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ' (BRTS)ની બે બસો વચ્ચે ચાર ટુ-વ્હીલર આવ્યં હતા. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જ્યારે 8 લોકો ઘાયલ થયા હતા. બસના ડ્રાઈવરે અચાનક બ્રેક લગાવી હતી, જેના કારણે તે તેની પાછળ આવતા ચાર ટુ-વ્હીલર સાથે અથડાઈ ગયો હતો. પરંતુ પાછળથી આવતી અન્ય બસે પણ તે તમામ વાહનોને ટક્કર મારી હતી.અન્ય બસના ડ્રાઇવરને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને ઘાયલોને નજીકની બે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં એક વ્યક્તિનું મોત થયું છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch