Fri,26 April 2024,1:27 pm
Print
header

સુદાનની ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટમાં 18 ભારતીય સહિત 23 લોકોનાં મોત, વિદેશ મંત્રાલયની સ્થિતી પર નજર

સુદાનમાં સિરામિકની ફેક્ટરીમાં ભયાનક વિસ્ફોટ થતા 18 ભારતીયો સહિત 23 લોકોનાં મોત થઇ ગયા છે, 100 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે, ઘટના બાદ ભારતીયોના પરિવોરોમાં ચિંતા વધી ગઇ છે, વિદેશમંત્રી એસ.જયશંકરે જણાવ્યું છે કે ભારત સરકાર સમગ્ર સ્થિતી પર નજર રાખી રહી છે ઘાયલ થયેલા ભારતીયો સહિતનાં લોકોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે, જ્યારે ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો ત્યારે 200 જેટલા લોકો અહી કામ કરી રહ્યાં હતા. બ્લાસ્ટ બાદ ભયાનક આગ લાગી હતી, દૂર દૂર સુધી તેનો ધૂમાડો દેખાઇ રહ્યો હતો. ફાયર ફાઇટર દ્વારા કલાકોની મહેનત પછી આગ પર કાબૂ મેળવી લેવાયો છે.

સુદાનમાં ભારતીય દૂતાવાસ દ્વારા ભારતીય મૃતકોના પરિવારજનોને જાણ કરવામાં આવી રહી છે, જો કે બ્લાસ્ટનું સાચુ કારણ હજુ સુધી સામે આવ્યું નથી

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch