ગાંધીનગર: રખડતા ઢોર નિયંત્રણ કાયદા અંગે સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે.રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રખડતા ઢોર નિયંત્રણ બિલને પરત મોકલ્યું છે. છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોર નિયંત્રણ કાયદાનો વિરોધ થઈ રહ્યો હતો. રાજ્યપાલે વિધાનસભા સત્રમાં સરકારે પાસ કરેલું આ બિલ પાછું મોકલ્યું છે. આગામી દિવસોમાં મળનારા વિધાનસભા સત્રમાં આ બિલને પરત ખેંચવાની કાર્યવાહી હાથ ધરાશે.
ગઇકાલે માલધારી સમાજનું મહાસંમલેન શેરથા ખાતે મળ્યું હતું. સરકારે ઢોર નિયંત્રણ બિલ લાવતા માલધારી સમાજમાં રોષ જોવા મળી રહ્યો હતો. માલધારી સમાજના આગેવાનોનું કહેવું છે, ઘણા સમયથી અમે અમારા 14 મુદ્દાની માગ કરતા હતા.ત્યારે સરકાર ઢોર નિયંત્રણ બિલ લાવી, જેમાં એવુ લાગી રહ્યું છે કે, સરકાર માલધારી સમાજને સજા આપવા માગતી હોય. મહત્વનું છે કે, આ કાયદો વિધાનસભામાં પસાર થયાના થોડા જ દિવસમાં લાગુ કરવાનું મોકૂફ રાખવામાં આવ્યું હતું. જે બાદ રખડતા ઢોર નિયંત્રણ કાયદો પરત ખેચાશે તેવો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
રૂપાલાની ક્ષત્રિય સમાજને અપીલ, મહેરબાની કરીને પીએમ મોદીનો વિરોધ ન કરો | 2024-04-26 22:11:35
નિલેશ કુંભાણીને 6 વર્ષ માટે કોંગ્રેસમાંથી કરવામાં આવ્યાં સસ્પેન્ડ- Gujarat Post | 2024-04-26 21:39:16
આ PSI લાંચ લેતા ACB ના હાથે ઝડપાયા, આટલા રૂપિયાની લાંચ લીધી અને ઝડપાઇ ગયા | 2024-04-26 18:31:38
નિલેશ કુંભાણીએ વીડિયો બનાવીને કર્યો પોતાનો બચાવ, પ્રતાપ દૂધાત, કોંગ્રેસને લઈને કહી આ વાત- Gujarat Post | 2024-04-26 18:22:03
પદ ભોગવ્યું, પ્રતિષ્ઠા મેળવી, હવે પક્ષનું કર્જ ચૂકવો, ભાજપના ક્ષત્રિય નેતાઓને હાઈકમાન્ડનો આદેશ | 2024-04-26 10:39:46
નિલેશ કુંભાણી આખરે પરિવાર સાથે ક્યાં છુપાયા છે ? જાણો સૌથી મોટા સમાચાર- Gujarat Post | 2024-04-24 21:56:55