Fri,26 April 2024,8:42 am
Print
header

RLD ના સુપ્રીમો ચૌધરી અજીતસિંહનું કોરોનાથી અવસાન, નેતાઓએ આપી શ્રદ્રાંજલી

ઉત્તર પ્રદેશઃ દેશમાં કોરોનાને કારણે અનેક નેતાઓના મોત થયા છે હવે રાષ્ટ્રીય લોકદળ અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ચૌધરી અજીતસિંહનું કોરોનાને કારણે 82 વર્ષની ઉંમરે અવસાન થયું છે તેમને કોરોના હોવાથી ગુરૂગ્રામની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા જ્યાં તેમને અંતિમ શ્વાસ લીધા છે તેઓ ખેડૂત નેતાની છાપ ધરાવતા હતા અને જનતા તેમના સેવાના કાર્યોને હંમેશા યાદ રાખશે.

અજીતસિંહ પૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણસિંહના પુત્ર હતા તેઓ બાગપતથી 7 વખત સાંસદ હતી અને કેન્દ્ર સરકારમાં નાગરિક ઉડ્ડયન મંત્રી પણ રહી ચુક્યાં છે.તેમના નિધનથી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત અનેક નેતાઓએ તેમની શ્રદ્ધાંજલી આપી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch