નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વેક્સીનનો પહેલો ડોઝ લઈ લીધો છે. PM મોદીએ ટ્વીટ કરીને તેની જાણકારી આપી છે. વેક્સીન લેવાની સાથોસાથ મોદીએ તમામ લોકોને ભારતને કોરોનામુક્ત કરવામાં યોગદાન આપવાની અપીલ પણ કરી હતી. રાજધાની દિલ્હીની અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોવિડ-19થી બચાવની વેક્સીન લીધી હતી. 1 માર્ચથી દેશમાં કોરોના વાયરસની વેક્સીનેશનનું બીજું ચરણ શરૂ થયું છે.
Took my first dose of the COVID-19 vaccine at AIIMS.
— Narendra Modi (@narendramodi) March 1, 2021
Remarkable how our doctors and scientists have worked in quick time to strengthen the global fight against COVID-19.
I appeal to all those who are eligible to take the vaccine. Together, let us make India COVID-19 free! pic.twitter.com/5z5cvAoMrv
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આપણા ડૉક્ટર્સ અને વૈજ્ઞાનિકોએ ઓછા સમયમાં કોરોનાની વિરુદ્ધ વૈશ્વિક લડાઈને મજૂબત કરવાનું કામ કર્યું છે. હું તમામ લોકોને વેક્સીન લેવાની અપીલ કરું છું, આવો સાથે મળીને આપણે ભારતને કોવિડ-19 મુક્ત કરવામાં યોગદાન આપીએ.
કોરોના વાયરસ સંક્રમણની વિરુદ્ધ દેશમાં ચાલી રહેલા વેક્સીનેશન અભિયાનનું બીજું ચરણ આજથી શરૂ થઈ રહ્યું છે. વેક્સીનેશનના બીજા ચરણમાં 60 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને વેક્સીનનો ડોઝ આપવામાં આવશે. ગંભીર બીમારીઓથી પીડિત 45 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિઓનું પણ વેક્સીનેશન કરવામાં આવશે. વેક્સીનેશન માટે લોકો કોવિન 2.0 પોર્ટલના માધ્યમથી ક્યાંય પણ, ક્યારે પણ રજિસ્ટ્રેશન કરાવીને અપોઇન્ટમેન્ટ નક્કી કરી શકે છે. સાથે જ કેન્દ્ર સરકારે કોવિન 2.0ને લઈને પૂરી ગાઇડન્સ નોટ પણ જાહેર કરી દીધી છે.
વેક્સીનેશનના આ ચરણ માટે સરકારે પ્રાઇવેટ હૉસ્પિટલોમાં વેક્સીનની કિંમત 250 રૂપિયા નક્કી કરી છે, જેમાં 100 રૂપિયા સર્વિસ ચાર્જ છે. વેક્સીનેશનનું બીજું ચરણ આગામી 6 સપ્તાહ સુધી ચાલશે. કેન્દ્ર સરકારે વેક્સીનેશન માટે 20 ગંભીર બીમારીઓની ઓળખ કરી છે, જેનાથી પીડાતા 45થી વધુ ઉંમરના દર્દીઓ આ ચરણમાં વેક્સીન લઈ શકશે. જેમ કે છેલ્લા એક વર્ષમાં હૃદયરોગના હુમલાની સારવાર માટે જો વ્યક્તિ હૉસ્પિટલમાં દાખલ થયા હશે તો તેઓ વેક્સીન લઈ શકશે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
પદ ભોગવ્યું, પ્રતિષ્ઠા મેળવી, હવે પક્ષનું કર્જ ચૂકવો, ભાજપના ક્ષત્રિય નેતાઓને હાઈકમાન્ડનો આદેશ | 2024-04-26 10:39:46
Lok Sabha Elections 2024: બીજા તબક્કા માટે આજે મતદાન, રાહુલ ગાંધી, હેમા માલિનીનીનું ભાવિ થશે નક્કિ | 2024-04-26 08:42:46
ચૂંટણીના માહોલ વચ્ચે રાજ્યમાં IPS અધિકારીઓને મળી નવી જવાબદારી, આ રહ્યું આખું લિસ્ટ | 2024-04-25 19:41:51
પાકિસ્તાનની આર્થિક સ્થિતી ભયંકર રીતે બગડી...વેપારી સંગઠનોએ કહ્યું ભારત સાથે સંબંધો સુધારવા જરૂરી | 2024-04-25 17:14:32
સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે કન્નૌજથી નોંધાવી ઉમેદવારી- Gujarat Post | 2024-04-25 09:56:21
Fact Check: પાકિસ્તાન ઝિંદાબાદનો નારો લગાવનારી યુવતીને રાહુલ ગાંધી નથી મળ્યાં ગળે, વાયરલ દાવો ખોટો છે | 2024-04-26 10:47:16
પટનામાં JDU નેતા સૌરભ કુમારની ગોળી મારીને કરાઇ હત્યા, સ્થાનિક લોકોમાં હોબાળો | 2024-04-25 08:39:29
Fact Check: સોશિયલ મીડિયા પર સમય વિતાવનારા યુવાનોને કોંગ્રેસ વર્ષે 1 લાખ રૂપિયા આપશે ! આ દાવો ખોટો છે | 2024-04-25 17:36:58
રાંચીમાં બર્ડ ફ્લૂનો કહેર, તપાસમાં પુષ્ટિ થયા બાદ 2196 પક્ષીઓનાં મોત | 2024-04-25 09:05:28