Fri,26 April 2024,10:38 am
Print
header

સંસદના શિયાળુ સત્ર પહેલા 28 નવેમ્બરે યોજાશે સર્વદળીય બેઠક, વિપક્ષો મોદી સરકારને ઘેરવાની તૈયારીમાં

નવી દિલ્હી: 29 નવેમ્બરથી સંસદનું શિયાળુ સત્ર શરૂ થઈ રહ્યું છે. સંસદના શિયાળુ સત્રમાં કોરોના ગાઈડલાઈનનું પાલન કરવામાં આવશે. આ સમગ્ર સત્ર દરમિયાન લગભગ 20 બેઠકો થશે. સંસદના શિયાળુ સત્ર પહેલા 28 નવેમ્બરે સર્વપક્ષીય બેઠક યોજાય તેવી શક્યતા છે. બેઠકમાં પ્રધાનમંત્રી મોદી ભાગ લેશે, આ વર્ષે યોજાનારુ શિયાળુ સત્ર ખૂબ જ મહત્વનું બની રહેશે. કારણ કે ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે. જે રાજકીય રીતે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

કોવિડ-19 મહામારીને કારણે ગયા વર્ષે સંસદનું શિયાળુ સત્ર યોજાયું ન હતું. બજેટ સત્ર અને ચોમાસુ સત્ર પણ ટૂંકાવી દેવામાં આવ્યું હતું. ત્યારે સંસદીય બાબતોની કેબિનેટ સમિતિએ સંસદનું શિયાળુ સત્ર 29 નવેમ્બરથી 23 ડિસેમ્બર સુધી યોજવાની ભલામણ કરી છે. અધિકારીએ તાજેતરમાં એક નિવેદનમાં કહ્યું હતું કે “17મી લોકસભાનું સાતમું સત્ર 29 નવેમ્બર, 2021 ના રોજ શરૂ થશે. સત્તાવાર વ્યવસાયની આવશ્યકતાઓને આધિન સત્ર 23 ડિસેમ્બર 2021ના રોજ સમાપ્ત થવાની સંભાવના છે. તે જ સમયે રાજ્યસભાએ પણ આવો જ આદેશ જાહેર કર્યો હતો.

કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, ડાબેરી પક્ષો સહિત વિવિધ વિપક્ષી દળોએ આગામી સંસદ સત્ર દરમિયાન પેગાસસ જાસૂસી કેસ, ખેડૂતોની માંગણીઓ, મોંઘવારી, ED-CBI ચીફનો કાર્યકાળ વધારવા માટે લાવવામાં આવેલા વટહુકમ સહિતના અનેક મુદ્દાઓ પર મોદી સરકારને ઘેરવાનું નક્કિ કર્યું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch