Fri,26 April 2024,5:57 am
Print
header

જો મારૂં મોત થઇ જશે તો ષડયંત્રકારીઓના નામ આવશે દુનિયાની સામેઃ ઈમરાન ખાન- Gujarat Post

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને દાવો કર્યો છે કે તેમના જીવને જોખમ છે. પાકિસ્તાનની બહાર અને અંદર કેટલાક લોકો તેમને મારી નાખવા માંગે છે.તેમને આ સમગ્ર ષડયંત્રને એક વીડિયોમાં રેકોર્ડ કર્યું છે, જેથી જો હું મરી જઇશ તો ષડયંત્ર કરનારાઓના નામ દુનિયાની સામે આવશે.

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને તેમની હત્યાની સંભાવના વ્યક્ત કરી અને કહ્યું મારો જીવ જોખમમાં છે. પાકિસ્તાનની અંદર અને બહાર કેટલાક લોકો છે જે મારી હત્યા કરવા માંગે છે. હું એ બધા લોકોને ઓળખું છું. મેં એક વીડિયો રેકોર્ડ કરીને તેને સુરક્ષિત જગ્યાએ રાખ્યો છે. જો મને મારી નાખવામાં આવશે તો આ વીડિયો જાહેર થઇ જશે.સિયાલકોટમાં પાર્ટીની એક રેલી દરમિયાન ખાને કહ્યું કે મને રસ્તામાંથી હટાવવા માટે બંધ રૂમમાં ષડયંત્રો થઈ રહ્યાં છે. હું આ ષડયંત્ર વિશે પહેલાથી જ જાણું છું.

જિયો ન્યૂઝના રિપોર્ટ અનુસાર ઈમરાન ખાને વીડિયો બનાવવાનું કારણ જણાવતા કહ્યું કે આ વીડિયો દ્વારા તે દેશ હિતની વિરુદ્ધ જતા તમામ લોકોને ખુલ્લા પાડશે. આ વીડિયોમાં દરેક વ્યક્તિ વિશે જણાવ્યું છે જેને મારી વિરુદ્ધ ષડયંત્ર રચ્યું છે. હું આ ષડયંત્ર વિશે પહેલાથી જ જાણું છું. તેથી મેં વીડિયો રેકોર્ડ કર્યો છે,તેને સુરક્ષિત જગ્યાએ રાખ્યો છે. હું ઈચ્છું છું કે આખું પાકિસ્તાન જાણી લે કે આ ષડયંત્રમાં કોણ સામેલ છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch