Fri,26 April 2024,2:29 pm
Print
header

કિન્નોરઃ લેન્ડસ્લાઇડમાં અત્યાર સુધી 13 લોકોના મોત, 40 લોકોની શોધખોળ શરૂ

પર્વત પરથી પડતી શિલાઓએ અનેક વાહનોને પોતાની ઝપેટમાં લીધા, રાહત અને બચાવ કાર્ય હાથ ધરાયું 

 

શિમલાઃ હિમાચલ પ્રદેશના પર્વતોમાં લેન્ડસ્લાઇડ થતા 13 લોકોનાં મોત થઇ ગયા છે. કિન્નૌરમાં બુધવારે પર્વતો પરથી પડતી શિલાઓએ નેશનલ હાઇવે-5 પરથી પસાર થઇ રહેલ હિમાચલ ટ્રાન્સપોર્ટની બસ સહિત એક ટ્રક અને બે કારને ઝપેટમાં લઇ લીધા હતા. આ દુર્ઘટનામાં 13 લોકોનાં મોત થયા છે, લગભગ 40 જેટલા ગુમ લોકોની શોધખોળ ચાલી રહી છે. અત્યાર સુધીમાં 14 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યાં છે.

પર્વત પરથી પસાર થઈ રહેલી બસના ડ્રાઈવરનો ફોન કાટમાળમાં દટાયો હતો. બસના કંડક્ટરે અને મુસાફરોએ ફોન કરીને મદદ માંગી હતી. આ પછી બચાવ ટીમે લોકોને બચાવવા રેસ્ક્યૂ કર્યું હતુ.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch