Fri,26 April 2024,2:03 pm
Print
header

મોટા આતંકી હુમલાના ષડયંત્રનો પર્દાફાશ, પ્રજાસત્તાક દિન પહેલા પાંચ આતંકવાદીઓની ધરપકડ

જમ્મુ-કાશ્મીરઃ આગામી 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની ઉજવણીની તૈયારીઓ થઇ રહી છે, તે પહેલા જ જમ્મુ-કાશ્મીર પોલીસે 5 આતંકવાદીઓની ધરપકડ કરીને મોટા હુમલાના ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે, જેમની પાસેથી ગ્રેનેડ અને એકે-47 સહિતના હથિયારો જપ્ત કર્યા છે.

શ્રીગર પોલીસે ઈમ્તિયાઝ અહેમદ, એઝાઝ શેખ, ઉમર શેખ, સાહિલ ફારુખ અને નાસિર અહેમદ મીરની ધરપકડ કરી છે, આ તમામ આતંકવાદીઓ પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોંહમ્મદ સાથે સંકળાયેલા છે, પાકિસ્તાનમાંથી તેમના આકાઓના આદેશ પ્રમાણે તેઓ કામ કરતા હતા, પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે તેમની પાસેથી મોટી માત્રામાં વિસ્ફોટકો અને ગ્રેનેડ પકડાયા છે, જેના પરથી સ્પષ્ટ છે કે તેઓ કોઇ મોટો આતંકી હુમલો કરવાની ફિરાકમાં છે, થોડા દિવસો પહેલા કાશ્મીરમાં જે બે ગ્રેનેડ હુમલા કરાયા હતા, તેમાં પણ આ આતંકી ગેંગનો જ હાથ હતો.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch