દેશમાં વધુ 384 લોકોનાં મોત થયા
નવી દિલ્હીઃ લોકડાઉનમાં છૂટ આપી દીધા પછી દેશમાં કોરોના વાઇરસનાં કેસ સતત વધી રહ્યાં છે, સરકારે જાહેર કરેલા આંકડા મુજબ 24 કલાકમાં કોવિડ-19ના નવા 18,552 કેસ નોંધાયા છે. કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યાં 5,08,953 થઇ ગઇ છે, જ્યારે વધુ 384 લોકોનાં મોત સાથે મોતનો કુલ આંકડો 15,685 થયો છે, આરોગ્ય મંત્રાલયના આંકડાઓ મુજબ 2,95,880 દર્દીઓ સાજા થઇ ગયા છે. જેથી કોરોનાના સક્રીય દર્દીઓનો આંકડો 1,97,387 રહ્યો છે.
ખાસ કરીને રાજધાની દિલ્હી, તેલંગાણા, હરિયાણા અને ગુજરાતમાં સ્થિતી ચિંતાજનક છે. હાલમાં કોરોનાનાં દર્દીઓનો આંકડો 5 લાખ ઉપર પહોંચી ગયો છે અને જે ઝડપથી નવા કેસ આવી રહ્યાં છે, તે જોતા થોડા જ દિવસોમાં આ આંકડો 7 લાખ ઉપર જઇ શકે છે, તેવું નિષ્ણાંતો માની રહ્યાં છે. ત્યારે સરકાર દ્વારા લોકોને સાવચેત રહેવા અને માસ્ક, સેનેટાઇઝરનો ઉપયોગ કરવા અપીલ કરાઇ રહી છે, અનલોક-1માં છૂટછાટને કારણે કોરોનાનાં કેસ વધી ગયા છે, જે ચિંતાજનક છે.
વધુ સમાચારો માટે અમારા Facebook પેજને Like કરો
Facebook પેજની લિંક
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..
Lok Sabha Elections 2024: બીજા તબક્કા માટે મતદાન ચાલુ, મતદાન મથકો પર લાંબી કતારો, PM મોદીએ રેકોર્ડ મતદાન માટે કરી અપીલ | 2024-04-26 08:42:46
ચૂંટણીના માહોલ વચ્ચે રાજ્યમાં IPS અધિકારીઓને મળી નવી જવાબદારી, આ રહ્યું આખું લિસ્ટ | 2024-04-25 19:41:51
પાકિસ્તાનની આર્થિક સ્થિતી ભયંકર રીતે બગડી...વેપારી સંગઠનોએ કહ્યું ભારત સાથે સંબંધો સુધારવા જરૂરી | 2024-04-25 17:14:32
સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે કન્નૌજથી નોંધાવી ઉમેદવારી- Gujarat Post | 2024-04-25 09:56:21
હવે ગૃહમંત્રાલયનો નકલી અધિકારી ઝડપાયો, પોલીસે એન્જિનિયરની કરી ધરપકડ | 2024-04-25 09:27:03
નિલેશ કુંભાણી આખરે પરિવાર સાથે ક્યાં છુપાયા છે ? જાણો સૌથી મોટા સમાચાર- Gujarat Post | 2024-04-24 21:56:55
ગુજરાતની આ લોકસભા બેઠક પરના કોંગ્રેસના ડમી ઉમેદવારે પાર્ટી છોડી દીધી, તેમના પત્નીનું પણ રાજીનામું- Gujarat Post | 2024-04-24 21:51:35
ACB ટ્રેપ- ક્લાસ-2 ડ્રગ્સ ઇન્સ્પેક્ટર આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાઇ ગયા, અમદાવાદનો બનાવ | 2024-04-24 21:42:11
Fact Check: સોશિયલ મીડિયા પર સમય વિતાવનારા યુવાનોને કોંગ્રેસ વર્ષે 1 લાખ રૂપિયા આપશે ! આ દાવો ખોટો છે | 2024-04-25 17:36:58
રાંચીમાં બર્ડ ફ્લૂનો કહેર, તપાસમાં પુષ્ટિ થયા બાદ 2196 પક્ષીઓનાં મોત | 2024-04-25 09:05:28
પટનામાં JDU નેતા સૌરભ કુમારની ગોળી મારીને કરાઇ હત્યા, સ્થાનિક લોકોમાં હોબાળો | 2024-04-25 08:39:29