Fri,26 April 2024,8:58 pm
Print
header

BIG NEWS- પાટીદાર નેતા હાર્દિક પટેલના પિતાનું કોરોનાથી નિધન, UN મહેતા હોસ્પિટલમાં હતા દાખલ

અમદાવાદઃ પાટીદાર નેતા અને કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલના પિતા ભરતભાઇ પટેલનું કોરોનાને કારણે નિધન થયું છે તેઓ યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં હતા અને આજે સવારે તેમનું અવસાન થયું છે.ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ ઓક્સિજન લેવલ ઘટતા બાદમાં તેમને યુએન મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. 

પાસ કન્વીનર ધાર્મિક માલવિયા અને નિખિલ સવાણીએ આ બાબતે જણાવ્યું કે તેમની હાલત ગઇકાલે સુધારા પર હતી.પરંતુ આજે સવારે કાર્ડીયાક અરેસ્ટ આવતા તેમનું દુખદ અવસાન થયુ છે.ભરતભાઇ છેલ્લાં ઘણા સમયથી હાર્દિક પટેલ સાથે જ રહેતા હતા, તેમના નિધનથી પાટીદાર સમાજ અને કોંગ્રેસ નેતાઓએ દુખ વ્યક્ત કર્યું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch