નવી દિલ્હી: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મળેલા 12 ટકા જેટલા વોટ શેરને કારણે આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો મળી ગયો છે. જો કે આપને ગુજરાતમાં સારા દેખાવની અપેક્ષા હતી પરંતુ માત્ર 5 બેઠકો મળી છે, દિલ્હીના મુખ્ય પ્રધાન અને આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું કે ગુજરાતમાં પાંચ બેઠકો જીતવી એ આખલાનું દૂધ કાઢવા જેટલું મુશ્કેલ હતુ, ગાયનું દૂધ તો કોઇ કાઢી શકે છે, પરંતુ અહીં તો અમે આખલાનું દૂધ કાઢીને બતાવી દીધું છે. કહ્યું કે અમે 5 બેઠકો જીતી બતાવી છે. 2027માં અમે ગુજરાતમાં સરકાર બનાવીશું.
દિલ્હીમાં આમ આદમી પાર્ટી (આપ)ની રાષ્ટ્રીય પરિષદની બેઠકમાં તેમને આ નિવેદન આપ્યું હતું. એક વર્ષમાં અમને પંજાબ મળ્યું, અમે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (એમસીડી) ની ચૂંટણી જીતી ગયા. અમારી પાસે ગોવામાં 2 ધારાસભ્યો છે અને ગુજરાતમાં 5 ધારાસભ્યો છે.
આપને રાષ્ટ્રીય દરજ્જો મળ્યાં બાદ પહેલી વાર આમ આદમી પાર્ટીની રાષ્ટ્રીય પરિષદ અને રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક મળી હતી. રાષ્ટ્રીય પરિષદમાં પક્ષના નેતાઓએ વિવિધ રાજકીય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી, અને ઠરાવો પસાર કર્યાં હતા. સાથે જ ચીન સાથે સરહદ વિવાદને લઇને કેજરીવાલે લોકોને ચીની સામાનનો બહિષ્કાર કરવાનું કહ્યું હતુ.
મોદી સરકાર પર નિશાન સાધતા તેમણે કહ્યું કે સરકારને સૈનિકોના જીવનની ચિંતા નથી. મોદી સરકારે આ અઠવાડિયાની શરૂઆતમાં કહ્યું હતું કે ભારતીય સૈનિકોએ ગયા અઠવાડિયે સરહદ પર સામ-સામે અથડામણ દરમિયાન ચીની સૈનિકોને ભારતીય સીમામાં પ્રવેશતા અટકાવ્યાં હતા, જેને કારણે બંને પક્ષે ઈજાઓ પહોંચી હતી. જૂન 2020 માં થયેલી જીવલેણ અથડામણ પછી તાજેતરની અથડામણ પ્રથમ હતી ભારત અને ચીનના સૈનિકો લદ્દાખની ગલવાન ખીણમાં સામ-સામે લડાઇમાં સામેલ હતા, ત્યારે આપણા 20 સૈનિકો શહીદ થયા હતા.
ચીનનો માલ કોણ ખરીદી રહ્યું છે ? ચીન પાસેથી માલ ખરીદવાની ભાજપની શું મજબૂરી છે ? શું આપણે આપણું સ્વદેશી ઉત્પાદન વધારી ન શકીએ ? અનેક વેપારીઓ અને ઉદ્યોગપતિઓ ભારત છોડી રહ્યા છે.કેજરીવાલે આપ અને અન્ય પક્ષો વચ્ચેનો તફાવત સમજાવ્યો હતો. એક પક્ષ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલો છે, જ્યારે બીજો પક્ષ ગુંડાગીરીને પ્રોત્સાહન આપે છે અને ગુંડાઓને આશ્રય આપે છે. તેમને ભાજપ અને કોંગ્રેસ પર પ્રહાર કર્યાં હતા.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
મુંબઈમાં બહુમાળી ઈમારત ધરાશાયી થતાં કાટમાળ નીચે અનેક લોકો દટાયા, બચાવ કામગીરી હાથ ધરી | 2024-07-27 09:06:39
ઠાકોર સમાજ માટે વપરાતા આ શબ્દનો હવેથી પ્રયોગ નહીં કરી શકાય – Gujarat Post | 2024-07-26 21:04:34
ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસનો કહેર, 120 જેટલા કેસ થયા, 40 થી વધુ બાળકોનાં મોત- Gujarat Post | 2024-07-26 14:09:31
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો અત્યારે ખરીદીનો શ્રેષ્ઠ સમય છે કે નહીં ? Gujarat Post | 2024-07-26 14:07:00
આજે હું એવી જગ્યાએથી બોલી રહ્યો છું જ્યાં.. પીએમ મોદીએ કારગિલથી પાકિસ્તાનને આપી આ ચેતવણી | 2024-07-26 13:45:15
જૂઠ બૂમો પાડવાથી સત્ય નથી બની જતું, NEET પેપર લીક મુદ્દે સંસદમાં હંગામો, રાહુલ ગાંધીના નિવેદનથી ગુસ્સે થયા શિક્ષણ મંત્રી | 2024-07-22 12:29:46
હવે ઉજ્જૈનમાં પણ યોગી સરકાર જેવો આદેશ, દુકાનદારોએ તેમના નામ સાથે આ લખવું પડશે, મેયરે મુસ્લિમો વિશે કહી આ વાત | 2024-07-21 09:05:06
આગામી થોડા સમય માટે સી.આર.પાટીલ જ રહેશે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ ? Gujarat Post | 2024-07-20 09:48:01
જો બાઇડનને પણ પાછળ છોડી દીધા.. ટેસ્લાના એલોન મસ્કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પાઠવ્યાં અભિનંદન | 2024-07-20 09:41:27
કારગિલ વિજય દિવસ પર પીએમ મોદી પહોંચ્યાં લદ્દાખ, કહ્યું આતંકવાદનો ખાત્મો કરી નાખીશું | 2024-07-26 08:45:20
કળિયુગના પુત્રની કાળી કરતૂતઃ પહેલા માતાને મોતને ઘાટ ઉતાર્યા, પછી ક્રિએટ કર્યો લૂંટનો સીન- Gujarat Post | 2024-07-25 11:14:33
હાથરસ દુ્ર્ઘટના: કોઈનું હાડકું તૂટ્યું, કોઈનું લીવર ખરાબ થવાથી તો કેટલાકના ફેફસા ફાટવાથી મોત થયા, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો | 2024-07-04 09:06:05
ગૃહ, સંરક્ષણ, રેલ્વે અને કૃષિ ? જાણો મોદી કેબિનેટમાં કોને મળ્યાં આ મોટા મંત્રાલયો | 2024-06-10 20:16:01
ત્રીજી વખત વડાપ્રધાન બનતા જ મોદીને ચીને આપ્યાં અભિનંદન, કહ્યું- ભારત સાથે સંબંધો મજબૂત કરશે | 2024-06-10 09:26:06
બે વખત મેયર રહ્યાં બાદ મોદી 3.0માં પહેલીવાર સાંસદમાંથી સીધા મંત્રી બન્યાં, જાણો કોણ છે નિમુબેન બાંભણીયા | 2024-06-10 09:04:45
IND vs PAK: ન્યૂયોર્કમાં લહેરાવ્યો તિરંગો, ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને હરાવીને બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ | 2024-06-10 07:33:33