જૂનાગઢઃ જિલ્લા કોર્ટે ઉશ્કેરણીજનક ભાષણ કેસમાં મૌલાના મુફ્તી સલમાન અઝહરી અને અન્ય બે લોકોને જામીન આપ્યાં છે. આ કેસમાં ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એસ.એ.પઠાણે 31 જાન્યુઆરીએ જૂનાગઢમાં ધાર્મિક કાર્યક્રમમાં ભાષણ આપનાર અઝહરી અને અન્ય બે વ્યક્તિઓને જામીન આપ્યાં હતા. આ જ કાર્યક્રમમાં મૌલાનાએ કથિત રીતે ભડકાઉ ભાષણ આપ્યું હતું. અઝહરી અને સહ-આરોપી મોહમ્મદ યુસુફ મલિક અને અઝીમ હબીબ ઓડેદરાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને તેમના વકીલોએ તેમના નિયમિત જામીન માટે અરજી કરી હતી.
રવિવારે મુંબઈમાં ધરપકડ કરવામાં આવી હતી
અઝહરીના વકીલ શકીલ શેખે કહ્યું કે બંને પક્ષોને સાંભળ્યાં બાદ કોર્ટે તેમને 15,000 રૂપિયાના બોન્ડ પર જામીન પર આપ્યાં હતા. ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડે (ATS) રવિવારે મુંબઈમાં મૌલાનાની ધરપકડ કરી હતી. આ પછી મંગળવારે મૌલાના મુફ્તી સલમાન અઝહરીને નફરતજનક ભાષણ આપવા બદલ એક દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યાં હતા. મૌલાનાને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર અહીં લાવવામાં આવ્યાં હતા. આ કેસની તપાસ કરી રહેલી જૂનાગઢ પોલીસે અઝહરીની 10 દિવસની કસ્ટડી માંગી હતી. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એસએ પઠાણે બુધવારે સાંજે 4 વાગ્યા સુધી મૌલાનાને પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યાં હતા.
શું છે સમગ્ર મામલો ?
પોલીસે મંગળવારે કચ્છના સામખિયારીમાં એક ધાર્મિક કાર્યક્રમમાં ભડકાઉ ભાષણ આપવા બદલ મૌલાના મુફ્તી સલમાન અઝહરી વિરુદ્ધ બીજી એફઆઈઆર નોંધી હતી. અઝહરી વિરુદ્ધ આ બીજી FIR છે. કચ્છ (પૂર્વ)ના પોલીસ અધિક્ષક સાગર બાગમારે જણાવ્યું હતું કે 31 જાન્યુઆરીએ સામખિયારી ખાતે આયોજિત ધાર્મિક કાર્યક્રમમાં ભડકાઉ ભાષણ આપવા બદલ મુફ્તી સલમાન અઝહરી વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. આ કાર્યક્રમ માટે પોલીસ પરવાનગી આપવામાં આવી હતી, પરંતુ ભાષણની સામગ્રી જૂનાગઢની ઇવેન્ટ જેવી જ હતી.
તેમણે કહ્યું કે અઝહરીની વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 153B હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. અઝહરી વિરુદ્ધ કચ્છ જિલ્લાની ઘટનાના સંબંધમાં ભારતીય દંડ સંહિતાની કલમ 153B અને 505 (2) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે 31 જાન્યુઆરીની રાત્રે જૂનાગઢના 'બી' ડિવિઝન પોલીસ સ્ટેશન પાસેના ખુલ્લા મેદાનમાં આયોજિત એક કાર્યક્રમમાં કથિત રીતે નફરતભર્યા ભાષણ આપવા બદલ મુંબઈથી મૌલાના અઝહરીની ધરપકડ કરી હતી.
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat loksabha election 2024: રાજ્યમાં 1 વાગ્યા સુધીમાં 40 ટકા મતદાન, સાંજે ફરી ઉત્સાહ જોવા મળશે | 2024-05-07 14:41:54
લોકસભા ચૂંટણીઃ શાહ સહિત આ કેન્દ્રીય મંત્રીઓના ભાવિ આજે ઈવીએમમાં થશે કેદ- Gujarat Post | 2024-05-07 10:40:45
ક્ષત્રિય સમાજ દુઃખી છે, પરંતુ દેશ માટે... પૂર્વ સીએમ વિજય રૂપાણીએ મતદાન દરમિયાન કહી આ વાત | 2024-05-07 09:15:59
PM મોદીએ અમદાવાદમાં કર્યું મતદાન, લોકોને પણ વધુ મતદાન કરવાની કરી અપીલ, મોદી નાગરિકોને પણ મળ્યાં | 2024-05-07 08:25:44
પીએમ મોદી અમદાવાદ પહોંચ્યાં, મતદાનને લનેઈ ટ્વિટ કરીને કહી આ વાત- Gujarat Post | 2024-05-06 23:36:19
દિલ્હીની જેમ અમદાવાદમાં પણ અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ તપાસમાં કંઇ ન મળ્યું | 2024-05-06 11:29:47
લોકસભા ચૂંટણીઃ કચ્છ-મોરબી સીટ પર 3500 ક્ષત્રિયો ભાજપ વિરુદ્ધ મતદાન કરાવવા કાર્યરત રહેશે- Gujarat Post | 2024-05-06 10:10:16
ગેનીબેન માટે પ્રિયંકાનો પ્રચાર, કહ્યું મોદી ગુજરાતના લોકોને ભૂલીને વારાણસી ભાગી ગયા, ભાજપના રાજમાં મહિલાઓ પર અત્યાચાર | 2024-05-04 12:35:29
તમે મતદાન ચોક્કસથી કરજો...નડિયાદમાં ભીડભંજન હનુમાન મંદિરમાં મતદાન કરોના સંદેશવાળો દાદાને શણગાર કરવામાં આવ્યો | 2024-05-04 10:38:58
નર્સે વોટ્સએપમાં મોકલી સ્યૂસાઇડ નોટ, જિંદગી હવે બોરિંગ થઇ ગઇ છે...હું એવી જગ્યાએ મરીશ કે તમને લાશ પણ નહીં મળે | 2024-05-03 12:16:34
વહુએ જ આપી હતી રૂ.10 લાખની સોપારી, હિંમતનગરમાં નિવૃત પોલીસકર્મી અને તેમના પત્નીની હત્યાનું રહસ્ય સામે આવ્યું | 2024-05-03 11:19:13