GST વિભાગે કંપની સીલ કરીને રુ. 20 કરોડની કિંમતના સેનિટાઇઝરનો જથ્થો જપ્ત કર્યો
ભોપાલઃ કોરોનાની સ્થિતીમાં સોમ ડિસ્ટલરીજ કંપની દ્વારા સેનિટાઇઝરમાં જીએસટી નહીં ભરવાના મામલે જીએસટી વિભાગે કાર્યવાહી કરીને રુપિયા 20 કરોડની કિંમતનો જથ્થો જપ્ત કર્યો છે, કંપનીના માલિક જગદીશ અરોરા સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. જગદીશ અરોરા પર આરોપ છે કે તેમણે જીએસટી ચુકવ્યાં વિના જ રૂપિયા 25 કરોડની કિંમતના સેનિટાઇઝરનું વેચાણ કરી દીધું હતું. જીએસટીના નિયમ પ્રમાણે સેનિટાઇઝર પર 18 ટકા જીએસટી લાગુ પડે છે. જીએસટી વિભાગે કંપનીના માલિક જગદીશ અરોરાની પુછપરછ કરી હતી. 28 કલાકની પુછપરછ બાદ જગદીશ અરોરા બિમારીના બહાને જે.પી હોસ્પિટલમાં ભરતી થઇ ગયાં છે.
કંપનીના અન્ય સ્થળો પર પણ તપાસ કરવામાં આવી રહી છે. કંપની સામે સીજીએસટી એક્ટની કલમ 69 હેઠળ ગુનો નોંધાયો છે.ઉલ્લેખનીય છે કે કોરોના સંક્રમણને કારણે સેનિટાઇઝરની માંગમાં મોટો ઉછાળો છે અને ઘણી કંપનીઓએ જીએસટી ભર્યાં વિના મોટા પ્રમાણમાં સેનિટાઇઝરનો જથ્થો બારોબાર વેચાણ કર્યો છે. હવે આ કેસમાં ઉંડી તપાસ થઇ રહી છે.
Facebook પેજની લિંક
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..
પદ ભોગવ્યું, પ્રતિષ્ઠા મેળવી, હવે પક્ષનું કર્જ ચૂકવો, ભાજપના ક્ષત્રિય નેતાઓને હાઈકમાન્ડનો આદેશ | 2024-04-26 10:39:46
Lok Sabha Elections 2024: બીજા તબક્કા માટે આજે મતદાન, રાહુલ ગાંધી, હેમા માલિનીનીનું ભાવિ થશે નક્કિ | 2024-04-26 08:42:46
ચૂંટણીના માહોલ વચ્ચે રાજ્યમાં IPS અધિકારીઓને મળી નવી જવાબદારી, આ રહ્યું આખું લિસ્ટ | 2024-04-25 19:41:51
પાકિસ્તાનની આર્થિક સ્થિતી ભયંકર રીતે બગડી...વેપારી સંગઠનોએ કહ્યું ભારત સાથે સંબંધો સુધારવા જરૂરી | 2024-04-25 17:14:32
સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે કન્નૌજથી નોંધાવી ઉમેદવારી- Gujarat Post | 2024-04-25 09:56:21
Fact Check: પાકિસ્તાન ઝિંદાબાદનો નારો લગાવનારી યુવતીને રાહુલ ગાંધી નથી મળ્યાં ગળે, વાયરલ દાવો ખોટો છે | 2024-04-26 10:47:16
Fact Check: સોશિયલ મીડિયા પર સમય વિતાવનારા યુવાનોને કોંગ્રેસ વર્ષે 1 લાખ રૂપિયા આપશે ! આ દાવો ખોટો છે | 2024-04-25 17:36:58
રાંચીમાં બર્ડ ફ્લૂનો કહેર, તપાસમાં પુષ્ટિ થયા બાદ 2196 પક્ષીઓનાં મોત | 2024-04-25 09:05:28