Fri,26 April 2024,7:02 pm
Print
header

તૂટેલા રોડ આજે પણ ગુજરાતની જનતાની કમર તોડી રહ્યાં છે: અર્જુન મોઢવાડિયા

મોઢવાડિયાના ભાજપ સરકાર પર પ્રહાર 

અમદાવાદઃ રાજ્યમાં નવી સરકારના માર્ગ-મકાન મંત્રી પૂર્ણેશ મોદીએ રસ્તાઓના સમારકામ માટે અભિયાન શરૂ કર્યું હતુ. પરંતુ હજુ પણ વાહન ચાલકોને ખાડાઓના કારણે મુશ્કેલીઓ થઈ રહી છે. રાજ્યમાં હજુ પણ અનેક રસ્તાઓ પર સમારકામ હાથ ધરાયું નથી.ઠેર-ઠેર ખાડાઓ દેખાઈ રહ્યાં છે.

રાજ્યમાં ખરાબ રસ્તાઓ સુધારવાનું કામ ચાલુ થયું હોવાનું માર્ગ મકાન મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું, આ અભિયાન પૂર જોશમાં શરુ થયું હોવાની તેમને વાત કરી હતી. 1 થી 10 ઓક્ટોબરની વચ્ચે બિસ્માત હાલતના રોડ રસ્તાઓ સારા થઇ જશે.જો કે બે મહિના જેટલો સમય થયો હોવા છતાં રોડ પરના ખાડા દૂર થયા નથી. જેને લઈ કોંગ્રેસના સિનિયર નેતા અર્જુન મોઢવાડિયાએ ટ્વીટ કર્યું છે.

મોઢવાડિયાએ લખ્યું છે કાગળ પર 100 ટકા રોડ રિપેરિંગનો દાવો કરવામાં આવ્યો છે. ગુજરાત ભાજપ સરકાર આ ફોટા પર જરા ધ્યાન આપો. તૂટેલા રોડ આજે પણ ગુજરાતની જનતાની કમર તોડી રહ્યાં છે. પણ તમને જનતાની તકલીફ ક્યારે દેખાશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch