Sat,27 April 2024,6:44 am
Print
header

એક તરફ આત્મહત્યા કરનાર પુત્રના મૃતદેહનું પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું હતુ, બીજી તરફ પિતાએ પણ આત્મહત્યા કરી લીધી

અમદાવાદમાં પિતા-પુત્રની આત્મહત્યાથી પરિવાર વિખેરાયો

 

અમદાવાદઃ શહેરમાં આત્મહત્યાનો બનાવ સામે આવ્યો છે. શહેરના બોપલના રહેતા પટેલ પરિવારના પુત્રએ સ્યૂસાઇડ નોટ લખીને ઓફિસમાં જ આત્મહત્યા કરી લીધી હતી, જેના આઘાતમાં તેના પિતાએ પણ આત્મહત્યા કરી લીધી છે. જ્યારે પુત્રના મૃતદેહનું પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું હતુ ત્યારે જ પિતાએ આઘાતમાં આવીને આત્મહત્યા કરી લેતા એક આખો પરિવાર વિખેરાય ગયો છે.

પુત્ર અલ્પેશની સ્યૂસાઇડ નોટમાં લખ્યું છે મારા મોત માટે કોઇ જવાબદાર નથી, હું મારી મરજીથી આ પગલું ભરી રહ્યો છું.ત્યાર બાદ અલ્પેશના પિતા બળવંતભાઇએ તેમના ઘરે જ ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી છે. પોલીસે હાલમાં આ કેસની તપાસ શરૂ કરી છે જેમાં જાણવા મળ્યું છે કે દેવું થઇ જતા અલ્પેશે આત્મહત્યા કરી લીધી છે, હાલમાં આ કેસની વધુ તપાસ થઇ રહી છે. બીજી તરફ ઘરમાં બે દિવસમાં બે આત્મહત્યાથી આખો પરિવાર શોકમાં ડૂબી ગયો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch