Thu,16 May 2024,4:59 pm
Print
header

કેજરીવાલે કહ્યું હું આ કંસની ઓલાદોનો સફાયો કરવા આવ્યો છું...હું હનુમાનજીનો કટ્ટર ભક્ત છું, લાગ્યા જય શ્રી રામના નારા- gujarat post

વડોદરાઃ આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માને વડોદરામાં તિરંગા યાત્રા યોજી હતી, જેમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતા, કેજરીવાલે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે આ લોકોએ ભગવાનનું અપમાન કરીને પોસ્ટર્સ ફાડી નાખ્યાં છે, હું કટ્ટર હનુમાન ભક્ત છું. હનુમાનજીની મારા પર કૃપા વરસી રહી છે. મને નફરત કરજો પરંતુ ભગવાનનું અપમાન ન કરશો. 

કેજરીવાલે હુંકાર કરતા વિરોધીઓને કહ્યું કે આ કંસની ઓલાદો છે અને મને આ લોકોનો નાશ કરવા ભગવાને મોકલ્યો છે, મારો જન્મ જન્માષ્મીના દિવસે થયો હતો, ભગવાન શ્રી કૃષ્ણ મારી સાથે છે. હું આ કંસની ઓલાદોનો નાશ કરી નાખીશ. 

કેજરીવાલે કહ્યું કે જનતા બદલાવ ઇચ્છે છે જેથી આ લોકો બોખલાઇ ગયા છે, આ રાક્ષસી શક્તિઓ મારી સામે એક થઇ ગઇ છે અને આ લોકો ભગવાનનું અપમાન કરે છે. ગુંડાગીરી કરે છે, મારપીટ કરે છે, નોંધનિય છે કે કેજરીવાલને હિન્દુ વિરોધી ચિતરીને તેમના પોસ્ટર લગાવાયા છે, બીજી બાજુ અનેેક જગ્યાઓએ આપના પોસ્ટર્સ ફાડી નાખવામાં આવ્યાં છે. 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch