Sat,27 July 2024,10:21 am
Print
header

સુરેન્દ્રનગરઃ દસાડા-પાટડી હાઇવે પર ભયાનક અકસ્માતમાં 4 લોકોનાં મોત, કાર અને ટ્રેલર વચ્ચે થઇ હતી ટક્કર

અકસ્માત બાદ લોકો પહોંચ્યાં હતા ઘટના સ્થળે

4 મૃતકોના મૃતદેહોને કારમાંથી કઢાયા બહાર

સુરેન્દ્રનગરઃ રાજ્યમાં વધુ એક અકસ્માતનો બનાવ બન્યો છે, સુરેન્દ્રનગરના દસાડા-પાટડી હાઇવે પર જોરદાર અકસ્માત થયો છે. એક કાર અને ટ્રેલર વચ્ચે આ અકસ્માત થયા કારમાં સવાર 4 લોકોનાં મોત થઇ ગયા હતા, આ લોકો મોરબી તરફ જઇ રહ્યાં હતા ત્યારે જ આ અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માત થતા લોકો અહીં પહોંચી ગયા હતા પરંતુ લોકોને બચાલી શક્યા ન હતા, રુસ્તમગઢ ગામના પાટીયા પાસે જ આ ગોઝારો અકસ્માત થયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલીને તેમના પરિવારજનોને આ અકસ્માતની જાણ કરી છે, ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

નોંધનિય છે કે તહેવારોની સિઝનમાં રાજ્યમાં અકસ્માતની અનેક ઘટનાઓ બની છે, લોકોએ સાવચેતીથી ડ્રાઇવિંગ કરવું જોઇએ તે જરૂરી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch