Fri,26 April 2024,4:36 pm
Print
header

સાંસદોને સદબુદ્ધિ આવે તે માટે ઉપસભાપતિ હરિવંશ કરશે એક દિવસના ઉપવાસ, વેંકૈયા નાયડૂને લખ્યો પત્ર

નવી દિલ્હીઃ સંસદના ચોમાસું સત્ર દરમિયાન રવિવારે રાજ્યસભા (Rajya Sabha)માં કૃષિ બિલો પર ઘણો હોબાળો જોવા મળ્યો હતો. કેટલાક રાજ્યસભા સાંસદોએ ઉપસભાપતિ હરિવંશની સાથે અમર્યાદિત આચરણ પણ કર્યું હતું. ત્યારબાદ સોમવારે સભાપતિએ તેમની સામે પગલાં લેતા 8 સાંસદોને સસ્પેન્ડ કરી દીધા હતા. બીજી તરફ ઉપસભાપતિ હરિવંશે આ સમગ્ર મામલે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂને પત્ર લખ્યો છે. તેઓએ પત્રમાં લખ્યું છે કે 20 સપ્ટેમ્બરે રાજ્યસભામાં જે કંઈ પણ થયું, તેના કારણે હું છેલ્લા બે દિવસથી આત્મપીડા, તણાવ અને માનસિક વેદનામાં છું. હું આખી રાત ઊંઘી નથી શક્યો.

હરિવંશે પત્રમાં લખ્યું છે કે, ભગવાન બુદ્ધ મારા જીવનના પ્રેરણાસ્ત્રોત રહ્યા છે. બિહારની ધરતી પર જ આત્મજ્ઞાન મેળવનારા બુદ્ધે કહ્યું હતું કે, આત્મદીપ ભવઃ મને લાગે છે કે ઉચ્ચ ગૃહની મર્યાદિત પીઠ પર મારી સાજે જે અપમાનજક વ્યવહાર થયો, તેના માટે મારે એક દિવસનો ઉપવાસ કરવો જોઈએ. કદાચ મારા આ ઉપવાસથી ગૃહમાં આ પ્રકારનું આચરણ કરનારા માનનીય સભ્યોની અંદર આત્મશુદ્ધિનો ભાવ જાગૃત થઈ જશે.

ઉપસભાપતિએ પત્રમાં વધુ લખ્યું છે કે, મારા આ ઉપવાસ આ ભાવનાથી પ્રેરિત છે. બિહારની ધરતી પર જન્મેલા રાષ્ટ્રકવિ દિનકર બે વાર રાજ્યસભાના સભ્ય રહ્યા. કાલે 23 સપ્ટેમ્બરે તેમની જન્મતિથિ છે. આજે એટલે કે 22 સપ્ટેમ્બરની સવારથી કાલે 23 સપ્ટેમ્બરની સવાર સુધી હું આ પ્રસંગે 24 કલાકના ઉપવાસ કરી રહ્યો છું. તેઓએ કહ્યું છે કે કામકાજ પ્રભાવિત ન થાય તેથી હું ઉપવાસ દરમિયાન પણ રાજ્યસભાના કામકાજમાં નિયમિત અને સામાન્ય રીતે ભાગ લઈશ.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch