નવી દિલ્હીઃ વિજયાદશમીના પર્વ પ્રસંગે રક્ષા મંત્રી રાજનાથ સિંહે પશ્ચિમ બંગાળના દાર્જિલિંગના સુકના યુદ્ધ સ્મારકમાં શસ્ત્ર પૂજા કરી. આ પ્રસંગે તેમણે કહ્યું કે ભારત ઇચ્છે છે કે ચીન અને ભારતની વચ્ચે બોર્ડર પર શાંતિ રહેવી જોઇએ તણાવ ખત્મ થવો જોઇએ. પરંતુ હું સંપૂર્ણપણે આશ્વસ્ત છું કે આપણી સેના કોઇને પણ દેશની એક ઇંચ જમીન પર કબ્જો કરવા દેશે નહીં. રાજનાથ સિંહના કાર્યક્રમમાં આર્મી ચીફ એમ.એમ.નરવણે હાજર હતા. ભારતમાં વર્ષોથી વિજયાદશમીના દિવસે શસ્ત્રપૂજા કરવાની પરંપરા છે.
મંત્રોચ્ચારની વચ્ચે શસ્ત્રપૂજા બાદ રાજનાથ સિંહે કહ્યું કે અત્યારે ભારત અને ચીન વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. ભારત ઇચ્છે છે કે તણાવ સમાપ્ત થાય, શાંતિ સ્થાપિત થાય, આપણો ઉદ્દેશય આ જ છે. પરંતુ કયારેક કયારેક કેટલીક એવી નાપાક હરકતો થતી રહે છે પરંતુ હું સંપૂર્ણપણે આશ્વસ્ત છું અને મને પૂરો વિશ્વાસ છે કે આપણા જવાનો કોઇપણ સંજોગોમાં ભારતની એક ઇંચ જમીન કોઇ બીજાના હાથોમાં જવા દેશે નહીં.
ગલવાનમાં ચીનના વિશ્વાસઘાતનો ઉલ્લેખ કરતા સંરક્ષણ મંત્રીએ કહ્યું કે તાજેતરમાં ભારત-ચીનની સરહદ પર જે બન્યું છે તેની ચોક્કસ માહિતીના આધારે, હું કહી શકું છું કે આપણા દેશના સૈનિકોની જે પ્રકારની ભૂમિકા છે. તેઓએ તેનું ધ્યાન રાખ્યું છે જ્યારે ઇતિહાસ લખવામાં આવશે ત્યારે તેમની બહાદુરીની ચર્ચા સુવર્ણ અક્ષરોમાં થશે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
પદ ભોગવ્યું, પ્રતિષ્ઠા મેળવી, હવે પક્ષનું કર્જ ચૂકવો, ભાજપના ક્ષત્રિય નેતાઓને હાઈકમાન્ડનો આદેશ | 2024-04-26 10:39:46
Lok Sabha Elections 2024: બીજા તબક્કા માટે આજે મતદાન, રાહુલ ગાંધી, હેમા માલિનીનીનું ભાવિ થશે નક્કિ | 2024-04-26 08:42:46
ચૂંટણીના માહોલ વચ્ચે રાજ્યમાં IPS અધિકારીઓને મળી નવી જવાબદારી, આ રહ્યું આખું લિસ્ટ | 2024-04-25 19:41:51
પાકિસ્તાનની આર્થિક સ્થિતી ભયંકર રીતે બગડી...વેપારી સંગઠનોએ કહ્યું ભારત સાથે સંબંધો સુધારવા જરૂરી | 2024-04-25 17:14:32
સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે કન્નૌજથી નોંધાવી ઉમેદવારી- Gujarat Post | 2024-04-25 09:56:21
Fact Check: પાકિસ્તાન ઝિંદાબાદનો નારો લગાવનારી યુવતીને રાહુલ ગાંધી નથી મળ્યાં ગળે, વાયરલ દાવો ખોટો છે | 2024-04-26 10:47:16
પટનામાં JDU નેતા સૌરભ કુમારની ગોળી મારીને કરાઇ હત્યા, સ્થાનિક લોકોમાં હોબાળો | 2024-04-25 08:39:29
Fact Check: સોશિયલ મીડિયા પર સમય વિતાવનારા યુવાનોને કોંગ્રેસ વર્ષે 1 લાખ રૂપિયા આપશે ! આ દાવો ખોટો છે | 2024-04-25 17:36:58
રાંચીમાં બર્ડ ફ્લૂનો કહેર, તપાસમાં પુષ્ટિ થયા બાદ 2196 પક્ષીઓનાં મોત | 2024-04-25 09:05:28