અગાઉ કરોડો રૂપિયાનો બંગલો, ફાર્મહાઉસ, ફ્લેટ, પેટ્રોલપંપ મળી આવ્યાં
એસીબી કરી રહી છે આ કેસની ઉંડી તપાસ
અંદાજે 15 કરોડ રૂપિયાનું 22 કિલો સોનું જપ્ત
અઢી કિલો ચાંદી જપ્ત, કિંમત અંદાજે 2 લાખ રૂપિયા
સાગઠિયાએ અનેક લોકો પાસેથી રૂપિયા ખંખેર્યાં
રાજકોટઃ ટીઆરપી ગેમઝોનમાં 28 નિર્દોષ લોકોનાં જીવ ગયા પછી હવે ભ્રષ્ટ અધિકારીઓ સામે તવાઇ આવી છે, આરોપી મનસુખ સાગઠિયાની કરોડો રૂપિયાની સંપત્તિ મળ્યાં પછી હવે તેની ઓફિસમાંથી 5 કરોડ રૂપિયાની રોકડ અને 15 કરોડ રૂપિયાનું 22 કિલો સોનું મળી આવ્યું છે. તેની સીલ કરેલી ઓફિસ ખોલવામાં આવી છે અને તેમાંથી આ રકમ અને સોનું જપ્ત કરાયું છે.
150 ફૂટ રિંગરોડ પર આવેલી સાગઠીયાની ઓફિસનું સીલ ખોલવામાં આવ્યું
તત્કાલિન ટીપીઓ મનસુખ સાગઠિયાની ઓફિસનું સીલ ખોલતા જ આ ખજાનો એજન્સીને હાથ લાગ્યો છે, એસીબી તેની સંપત્તિની તપાસ કરી રહી છે અને કરોડો રૂપિયાનો બંગલો, ફાર્મહાઉસ, અમદાવાદના અદાણી શાંતિગ્રામમાં ફ્લેટ સહિતની સંપત્તિ મળી આવી છે.
ACB દ્વારા ચાલતી તપાસમાં સાગઠિયા પાસેથી 10.55 કરોડ રૂપિયાની અપ્રમાણસર મિલકતો મળી હતી અને ત્યારે ગુનો નોંધાયો હતો, આ મિલકત પગારની આવક કરતા 410 ટકા વધારે સંપત્તિ છે, અને હવે તેની પાસેથી વધુ રોકડ, સોનું અને ચાંદી મળી આવ્યાં છે.તેને રાજકોટ, ગોંડલ, અમદાવાદ જેવા શહેરોમાં રોકાણ કર્યું હતુ. સાથે જ તેનો પેટ્રોલપંપ પણ છે. હજુ આ ભ્રષ્ટાચારીનું કંઇ કંઇ જગ્યાએ રોકાણ છે તે મામલે તપાસ ચાલી રહી છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
પૂ્ર્વ સીએમ સ્વ. વિજય રૂપાણીને ગાર્ડ ઓફ ઓનર અપાયુ્ં, અંતિમ યાત્રામાં ઉમટી ભીડ | 2025-06-16 20:07:39
અસુરક્ષિત આપણું ગુજરાત..! લૂંટારાઓએ PI નાં માતા-પિતાની કરી ક્રૂર હત્યા, ચહેરા તીક્ષ્ણ હથિયારથી ચીરી નાખ્યાં, માતાના પગ કાપીને કડલાં લૂંટી લીધા | 2025-06-16 14:05:29
શું ઈરાનના મિસાઈલ હુમલામાં અદાણીના હાઈફા પોર્ટને નુકસાન થયું છે ? જાણો કંપનીએ શું કહ્યું - Gujarat Post | 2025-06-16 10:53:26
86 મૃતકોના ડીએનએ મેચ થયા, 33 મૃતદેહો સોંપવામાં આવ્યાં, રાજ્યમાં આજે એક દિવસનો રાજકીય શોક | 2025-06-16 10:49:28
ઈરાનમાં ખતરનાક તણાવ વચ્ચે ભારતીય વિદ્યાર્થીઓની સરકારને વિનંતી, ઝડપથી પાછા લાવવાની વ્યવસ્થા કરો, ત્રણ દિવસથી ઉંઘ પણ નથી આવી | 2025-06-16 10:46:26
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર આજે કરવામાં આવશે, ગૃહમંત્રી શાહ અંતિમ દર્શન કરવા જશે | 2025-06-16 08:30:05
રાજકોટમાં સ્વ.વિજય રૂપાણીની અંતિમયાત્રાની તૈયારીઓ, આ રૂટ રહેશે બંધ - Gujarat Post | 2025-06-15 11:51:28
રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ, વીજળી પડવાથી 7 વર્ષના બાળક સહિત 4 લોકોનાં મોત | 2025-06-15 07:38:13
અમિત ખૂંટ હત્યા કેસઃ મોડલે રાજકોટના ડી.સી.પી. સહિતના અધિકારીઓ સામે કોર્ટમાં ફરિયાદ કરી- Gujarat Post | 2025-06-11 09:11:42