(demo pic)
Vadodara News: વડોદરામાં વિકૃતિની હદ વટાવતો એક કિસ્સો સામે આવ્યો છે. યુવકે મહિલા પર દુષ્કર્મ કરીને પેશાબ પીવડાવ્યો હતો. યુવકની વિકૃતિથી કંટાળીને મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ અંગેનો કેસ ચાલી જતાં આરોપી યુવકને આજીવન કેદની સજા ફટકારી હતી.
વાઘોડિયા તાલુકામા રહેતી 55 વર્ષની મહિલા 3 જૂન 2022ના રોજ ઢોર ચરાવવા માટે કોતરમાં ગઇ હતી, ત્યારે ખાંધા ગામના બસ સ્ટેન્ડ ફળિયામાં રહેતો પ્રવિણ અરવિંદભાઇ વસાવા (ઉ.વ.35) ત્યાં આવી પહોંચ્યો હતો અને મહિલાને ધાક ધમકી આપીને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યુ હતું. જો કે અગાઉ પણ બે વખત પ્રવિણે દુષ્કર્મ, સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરીને પેશાબ પીવડાવ્યો હોવાથી મહિલા કંટાળી ગઇ હતી. જેથી તેણે પ્રવિણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા 6 જૂન 2022ના રોજ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
આરોપી પ્રવિણે વિકૃત આનંદ લેવા માટે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાની સાથે મહિલાને પેશાબ પણ પીવડાવ્યો હતો. આવુ કૃત્ય પતિ જો પત્ની સાથે કરે તો પણ ગુનો છે. કુદરતી રીતે પણ તે યોગ્ય નથી. સ્ત્રીઓને સુરક્ષાનો અનુભવ થાય તે માટે કાયદાએ દાખલો બેસાડવો જોઇએ. કોર્ટે વિવિધ પુરાવાઓને ધ્યાનમાં રાખીને આરોપીને આજીવન કેદની સજા સાથે રૂ.25 હજારનો દંડ ફટકાર્યો હતો.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ડાંગમાં સાપુતારા નજીક માતાજીના દર્શન કરીને પરત ફરતા પરિવારને નડ્યો ભયંકર અકસ્માત, 6 લોકોના મોત | 2025-12-09 09:11:39
ગુજરાત ATS ને મોટી સફળતા, રાજસ્થાનની એક ફેક્ટરીમાંથી 2 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડ્યું | 2025-12-08 14:44:42
ખોડલધામમાં લેઉવા પાટીદાર સમાજનું શક્તિ પ્રદર્શન: જગદીશ પંચાલે નરેશ પટેલની સરદાર સાથે કરી સરખામણી | 2025-12-07 11:47:51
જામનગરમાં વધુ એક કાર્ડિયાક કૌભાંડ: ઓશવાળ આયુષ હોસ્પિટલને રૂ.1.26 કરોડનો દંડ, ડૉક્ટર સસ્પેન્ડ | 2025-12-07 11:41:27
ગુજરાતમાં જોરદાર ઠંડીનો ચમકારો: આવતીકાલથી પારો વધુ ગગડશે- Gujarat Post | 2025-12-07 11:38:46
ગોધરામાં યુવાનની સગાઈના દિવસે જ નીકળી અર્થી, મકાનમાં આગ લાગતા વરરાજા સહિત 4 લોકોના મોત | 2025-11-21 09:49:19
જનતાને કહ્યું એક બહુરૂપીયાને જૂતાનો હાર પહેરાવજો, વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના મધુ શ્રીવાસ્તવ પર પ્રહાર | 2025-11-16 11:41:51
વિવાદીત કીર્તિ પટેલ સામે પાસા લગાવાયા, વડોદરા જેલમાં ધકેલાઈ | 2025-11-09 10:39:04
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી, હેલિકોપ્ટરથી કરાઇ પુષ્પવર્ષા | 2025-10-31 08:45:04
ગોધરામાં હજારો લોકોએ સંત રાજીન્દર સિંહજી મહારાજના આધ્યાત્મિક કાર્યક્રમમાં હાજરી આપી | 2025-10-25 19:45:07