Sun,05 May 2024,4:29 am
Print
header

કાજલ હિન્દુસ્તાની સામે વધી રહ્યો છે રોષ...હવે પ્રાંતિજમાં પાટીદાર સમાજ દ્રારા કાજલ પર પોલીસ કેસ દાખલ કરવાની માંગ

- પાસ કાર્યકરો સહિત પ્રાંતિજ તાલુકાના આગેવાનોએ દર્શાવ્યો વિરોધ

- મોરબી પાટીદાર સમાજની દિકરીઓ વિરૂધ્ધ ટિપ્પણી મામલે ફરિયાદ લેવા રજૂઆત

સાબરકાંઠાઃ જિલ્લાના પ્રાંતિજ તાલુકાના પાટીદાર સમાજના આગેવાનો દ્રારા કાજલ હિન્દુસ્તાની દ્રારા કરવામાં આવેલી વિવાદીત ટિપ્પણી બાબતે હિંમતનગરમાં જિલ્લા પોલીસ વડાને ફરિયાદ લેવા લેખિતમાં રજૂઆત કરાઇ છે.

મોરબી પાટીદાર સમાજની દિકરીઓ વિરૂધ્ધ ટિપ્પણી મામલે પ્રાંતિજ તાલુકામાં પણ તેના પડધા પડ્યાં છે. કાજલ હિન્દુસ્તાનીના નિવેદન બાદ વિવાદ વધતો જઇ રહ્યો છે. હવે વધુ એક પોલીસ ફરિયાદ નોંધવા માટેની માંગ કરવામાં આવી છે. પાસના અનિલ પટેલ, સંજય પટેલ સહિતના લોકોએ કાજલ હિન્દુસ્તાની સામે હિંમતનગરમાં પોલીસ વડાની કચેરી ખાતે પોલીસ ફરિયાદ નોંધવા માટે અરજી કરીને રજૂઆત કરી છે.

કાજલ હિન્દુસ્તાનીએ પાટીદાર સમાજની યુવતીઓને મુદ્દે કરેલા નિવેદનને લઈને સમાજમાં રોષ વ્યાપ્યો છે. હિંમતનગર જિલ્લા પોલીસ વડા કચેરી ખાતે પાસ કાર્યકરો અને સમાજના આગેવાનો લેખિત અરજી આપીને ફરિયાદ નોંધવાની માંગ કરવામાં આવી છે. કાજલ હિન્દુસ્તાનીના નિવેદનથી પાટીદાર સમાજનું અપમાન થયું છે.પાટીદારની દિકરીઓનું અપમાન ચલાવી નહીં લેવાય તેમ આગેવાનોએ જણાવ્યું હતુ. નોંધનિય છે કે કાજલે લવ જેહાદ મુદ્દે પાટીદાર સમાજની દિકરીઓ પર વિવાદીત ટિપ્પણી કરી હતી.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch