Fri,26 April 2024,3:30 am
Print
header

ભાવનગર ડમીકાંડમાં એક સગીર સહિત વધુ ત્રણ પકડાયા, અત્યાર સુધી 50 સામે કેસ- Gujarat Post

ભાવનગરઃ ડમી ઉમેદવાર કાંડમાં એક સગીર સહિત વધુ ત્રણ આરોપીઓ ઝડપાયા છે. જે બાદ આરોપીઓનો આંકડો 50 પર પહોંચ્યો છે. ભરતનગર પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ બાદ હવે એક પછી એક આરોપીઓ ઝડપાઇ રહ્યાં છે.

જયદીપ ભદ્રેશભાઈ ધાધલ્યા ઉ. વ.28, ઋષિત અરવિંદભાઈ બારૈયા ઉ.વ.18 સહિત એક સગીરને પોલીસે ઝડપ્યાં છે.પોલીસ ફરિયાદ મુજબ પહેલાના 24 આરોપીઓ અને તપાસમાં ખુલેલા પછીના 26 આરોપીઓ મળી કુલ 50 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યાં છે.

ડમીકાંડમાં પકડાયેલા આરોપીઓ પૈકી કેટલાક આરોપીઓ અલગ અલગ સરકારી વિભાગોમાં ફરજ બજાવતા હતા. સરકારી વિભાગમાં ફરજ બજાવતા આ 16 જેટલા આરોપીઓ સામે હવે આગળની તપાસ ગુજરાત એસીબી કરી રહી છે. યુવરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સ બાદ સમ્રગ ડમીકાંડનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. આ બાબતને ગંભીરતાથી લઈ ભાવનગર રેન્જ આઈ. જી. ગૌતમ પરમારના આદેશ બાદ ડમીકાંડમાં SITની રચના કરવામાં આવી હતી. આ કેસમાં તપાસનો ધમધમાટ કરતા 50થી વધુ આરોપીઓ ડમીકાંડમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આરોપીઓને પકડી પૂછપરછ કરતા ચોકાંવનારા ખુલાસા થયા હતા, જેમાં 2013થી આ ડમીકાંડ રાજ્યમાં ચાલતું હોવાનું બહાર આવ્યુ છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch