અમદાવાદઃ જૂનાગઢના બહુ ચર્ચીત તોડકાંડ પ્રકરણમાં સસ્પેન્ડેડ અને ફરાર પીઆઈ તરલ ભટ્ટ અંતે ઝડપાઇ ગયા હતા. જે બાદ આજે તેમને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જૂનાગઢ કોર્ટમાં રજૂ કરાયા હતા. કોર્ટે તેમને ચાર દિવસના રિમાન્ડ આપ્યાં છે. રિમાન્ડમાં તરલ ભટ્ટ તોડકાંડના અન્ય રાઝનો પર્દાફાશ કરી શકે છે. તોડબાજ તરલ ભટ્ટને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં ત્યારે વિઝ્યુઅલ ન થાય તેનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. મીડિયાને શૂટિંગ કરવા દેવામાં આવ્યું ન હતું. જેથી સામાન્ય આરોપી અને તરલ ભટ્ટ વચ્ચે ભેદભાવ કેમ ? તેવા પ્રશ્ન ઉઠી રહ્યાં છે.
શુક્રવારે અમદાવાદના રિંગરોડ પાસેથી આરોપી તરલ ભટ્ટની ધરપકડ કરવામાં આવી હતી. ક્રિકેટ સટ્ટાના નામે બેંક ખાતા ફ્રિઝ કરી તેને અનફ્રિઝ કરવાના બદલામાં મોટી રકમનો તોડ કરવા મામલે જૂનાગઢના સસ્પેન્ડેડ એસઓજી પીઆઈ એ.એમ. ગોહિલ, એએસઆઈ દિપક જાની અને માણાવદરના સીપીઆઈ સામે ગુનો દાખલ થયો હતો. આ ત્રણેયને સસ્પેન્ડ કરાયા હતા. હાલ આ મામલે એટીએસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
અગાઉ એસઓજીના પીઆઈ તથા એએસઆઈને તરલ ભટ્ટે બેંક ખાતાની વિગતો આપી હતી. આથી આ તોડકાંડનો મુખ્ય સુત્રધાર તરલ ભટ્ટ હોવાનું માનવામાં આવી રહ્યું છે. તરલ ભટ્ટ ફરાર થઈ ગયો હતો અને તે વિદેશ ભાગી ગયો હોવાની પણ ચર્ચા ચાલી રહી હતી. પરંતુ હવે તેની અમદાવાદથી ધરપકડ કરી લેવાઈ છે. હવે પૂછપરછમાં મોટા ખુલાસા થવાની શક્યતાઓ છે. બીજી તરફ તેના નજીકના લોકોએ જ તેની વિરુદ્ધ પુરાવા આપ્યાં હોવાની પણ ચર્ચાઓ છે.
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
હોસ્ટેલમાં ઘૂસીને યુવકે યુવતિને માર્યા છરીના ઘા, ઘટના સીસીટીવીમાં થઇ કેદ- Gujarat Post | 2024-07-27 10:39:29
નિવૃત્ત IAS અધિકારી એસ.કે.નંદાનું નિધન, પુત્રીને મળવા ગયા હતા અમેરિકા- Gujarat Post | 2024-07-27 10:32:52
મુંબઈમાં બહુમાળી ઈમારત ધરાશાયી થતાં કાટમાળ નીચે અનેક લોકો દટાયા, બચાવ કામગીરી ચાલુ | 2024-07-27 09:06:39
ઠાકોર સમાજ માટે વપરાતા આ શબ્દનો હવેથી પ્રયોગ નહીં કરી શકાય- Gujarat Post | 2024-07-26 21:04:34
ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસનો કહેર, 120 જેટલા કેસ થયા, 40 થી વધુ બાળકોનાં મોત- Gujarat Post | 2024-07-26 14:09:31
સુરત, વડોદરા અને આણંદ થયા જળમગ્ન, અમદાવાદમાં પણ ધીમી ધારે વરસાદ | 2024-07-25 11:10:22
ગુજરાતમાં ભારે વરસાદને કારણે 8 લોકોનાં મોત, રેલ અને રોડ સેવાઓને માઠી અસર | 2024-07-25 08:32:41
ભાજપ નેતાના પુત્ર સહિત બે યુવકો એમડી ડ્રગ્સ સાથે ઝડપાયા- Gujarat Post | 2024-07-24 10:40:27
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો અત્યારે ખરીદીનો શ્રેષ્ઠ સમય છે કે નહીં ? Gujarat Post | 2024-07-26 14:07:00
કારગિલ વિજય દિવસ પર પીએમ મોદી પહોંચ્યાં લદ્દાખ, કહ્યું આતંકવાદનો ખાત્મો કરી નાખીશું | 2024-07-26 08:45:20