Mon,20 May 2024,10:07 am
Print
header

Fact Check News: દેશમાં ફરી કોરોનાના કેસ વધ્યાંનો દાવો, ફરી વાયરલ થયો આદુથી કોરોનાની સારવાર બતાવતા શખ્સનો વીડિયો- Gujarat Post

Fact Check News:

નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર એક વ્યક્તિનો વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે,દાવો કરવામાં આવી રહ્યો છે કે તે મુંબઈના ડૉ. જરીર ઉદવાડિયા છે, જે કોરોનાના નવા પ્રકારથી બચવાના ઉપાયો જણાવી રહ્યાં છે. વીડિયોમાં તે વ્યક્તિ કહેતા જોઈ શકાય છે કે આદુથી કોરોનાની સારવાર શક્ય છે.

Fact Check- આ દાવો ખોટો છે, સોશિયલ મીડિયાના ન્યૂઝ સાચા નથી

ફેક્ટ ચેક દરમિયાન જાણવા મળ્યું કે, વાયરલ વીડિયોમાં કરવામાં આવેલો દાવો ખોટો છે. વીડિયોમાં દેખાતો વ્યક્તિ મુંબઈનો પ્રખ્યાત ડોક્ટર જરીર ઉદવાડિયા નથી. આટલું જ નહીં, વીડિયોમાં વ્યક્તિ કોરોનાથી બચવાના જે ઉપાયો જણાવી રહ્યો છે તે પણ ખોટો છે. આમ કરવું જોખમી સાબિત થઈ શકે છે. નિષ્ણાતોના મતે આવા પગલાં સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે. ડૉક્ટરની સલાહ વિના આવા કોઈ પગલાં ન લો. આદુ દ્વારા કોરોનાની સારવાર કરી શકાતી નથી.

વાયરલ વીડિયો પહેલાથી જ અલગ-અલગ દાવા સાથે વાયરલ થઈ ચૂક્યો છે. આ પહેલા આ વીડિયો ડો.સુશીલ ઉદવાડિયાના નામે વાયરલ થયો હતો. તે દરમિયાન પણ આ વ્યક્તિ ડૉ. સુશીલ ઉદવાડિયા ન હોવાનું સાબિત થયું હતું. હાલ કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યાંના દાવા વચ્ચે ફરી આ વીડિયો વાયરલ થયો છે. ત્યારે તમે પણ આવા કોઇ વીડિયોને પોસ્ટ કે શેર ન કરતા અને લોકો સુધી ખોટી માહિતી ન પહોંચાડતા.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch