Sat,27 April 2024,1:24 am
Print
header

ચીનમાં 80 ટકા લોકો થયા કોરોના સંક્રમિત, વૈજ્ઞાનિકોએ કહ્યું નવી લહેરની સંભાવના નહીંવત- Gujarat Post

(File photo)

બેઇજિંગઃ ચીનમાં કોરોના વાયરસે ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધું છે. સ્થિતિ એવી છે કે અહીંની વસ્તીનો મોટો ભાગ સંક્રમિત થઇ ગયો છે. ચીનના એક વૈજ્ઞાનિક દ્વારા મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. ચાઇના સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના ચીફ એપિડેમિયોલોજિસ્ટ વુ જુન્યોનું કહેવું છે કે, આગામી બે-ત્રણ મહિનામાં ચીનમાં ફરી ચેપ લાગવાની શક્યતા ઘણી ઓછી છે, કારણ કે હાલમાં 80 ટકા લોકોને આ વાઇરસનો ચેપ લાગ્યો છે.

તેમણે જણાવ્યું કે, 21 જાન્યુઆરીથી ચીનમાં શરૂ થયેલા લ્યૂનર નવા વર્ષની રજાઓમાં મોટી સંખ્યામાં લોકોએ મુસાફરી કરી છે. જેને કારણે કેટલાક વિસ્તારોમાં ચેપ વધી શકે છે. જો કે, કોરોનાની બીજી લહેરની સંભાવના નહિવત્ છે.

વૈજ્ઞાનિક વૂ જુન્યોએ જણાવ્યું કે, " લ્યૂનર નવા વર્ષ દરમિયાન, ચીનના શહેરોના લોકો તેમના પરિવારોને મળવા માટે ગ્રામીણ વિસ્તારોમાં જાય છે. આવી સ્થિતિમાં, ગ્રામીણ વિસ્તારોમાં ચેપનો દર વધુ હોઈ શકે છે.

ચીની સરકારના આંકડા મુજબ 12 જાન્યુઆરી સુધી અહીં 60 હજારથી વધુ લોકોનાં મોત થયા છે. હાલમાં જ ચીને આ ડેટા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન સાથે શેર કર્યો હતો. ચીને કોરોનાથી મૃત્યુંની સંખ્યામાં વધારો થવાનું કારણ ઝીરો કોવિડ પોલિસીને પરત ખેંચવા માટે જવાબદાર ગણાવ્યું હતું.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch