Fri,26 April 2024,9:26 am
Print
header

માતા હીરાબાને મળતાં પહેલા પીએમ મોદીએ આ મુખ્યમંત્રીને કર્યો ફોન- Gujarat Post

પ્રધાનમંત્રી મોદી ગુજરાત પ્રવાસે 

મોદીએ માતા હીરાબાને મળતા પહેલા આસામના સીએમને કર્યો ફોન

આસામ પૂરનો કરી રહ્યું છે સામનો

અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાત પ્રવાસે છે.આજે સવારે તેમણે માતા હીરાબાના આશીર્વાદ લીધા હતા. આ પહેલા પોતાના પદના કર્તવ્યનું પાલન કર્યું હતુ. તેમણે આસામમાં પૂરના કારણે પીડાઈ રહેલી જનતાની ચિંતા કરીને ખબર પૂછી હતી.

આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્માએ ટ્વિટ કરીને જાણકારી આપતા કહ્યું, આજે સવારે 6 વાગે પ્રધાનમંત્રી મોદીએ મને ફોન કરીને રાજ્યમાં પૂરની સ્થિતિની જાણકારી મેળવી હતી, જનતા માટે ચિંતા વ્યક્ત કરી છે. આ સાથે જ તેમણે અમને કેન્દ્ર સરકાર તરફથી બનતી મદદ કરવાનું આશ્વાસન આપ્યું છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 100માં વર્ષમાં પ્રવેશતાં તેમના માતાને જન્મદિવસની શુભેચ્છા આપી છે, તેમને ગાંધીનગર નિવાસસ્થાને મુલાકાત લીધી હતી. માતાના પગ ધોયા હતા અને તેમના આશીર્વાદ લીધા હતા. 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch