ભારતીય સેનાની ત્રણેય શાખાઓ- આર્મી, નેવી અને વાયુ સેનામાં યુવાનોની મોટી સંખ્યામાં ભરતી
સરકારે તેમના ખર્ચમાં ઘટાડો કરવા માટે અને ડિફેન્સ ફોર્સમાં યુવાનોની સંખ્યા વધારવા આ સ્કીમ રજૂ કરી
નવી દિલ્હીઃ રક્ષામંત્રી રાજનાથ સિંહે અગ્નિપથ યોજનાની જાહેરાત કરી છે. જે અંર્તગત સેનામાં મોટાપાયે ભરતી કરવામાં આવશે. આ ભરતી 4 વર્ષના કાર્યકાળ માટે કરવામાં આવશે. ભારતીય સેનાની ત્રણેય શાખાઓ- આર્મી, નેવી અને એરફોર્સમાં યુવાનોની ભરતી કરવા નવી સ્કીમ લોન્ચ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત યુવકોને માત્ર ચાર વર્ષ માટે ડિફેન્સ ફોર્સમાં સેવા આપવાની રહેશે. બાદમાં પણ તેમના માટે રોજગારીના દરવાજા ખુલ્લા રહેશે, રક્ષામંત્રી રાજનાથ સિંહની સાથે ત્રણેય સેના અધ્યક્ષોએ પ્રેસ કોન્ફરન્સમાં આ જાહેરાત છે. પહેલી ભરતી 90 દિવસમાં કરાશે. સરકારે તેમના ખર્ચમાં ઘટાડો કરવા માટે અને ડિફેન્સ ફોર્સમાં યુવાનોની સંખ્યા વધારવા માટે આ સ્કીમ રજૂ કરી છે.
દર વર્ષે અંદાજે 45 હજાર યુવકોને સેનામાં સામેલ કરવામાં આવશે. આ યુવાનોની ઉંમર 17.5 થી 21 વર્ષની વચ્ચેની હોવી જોઈએ. તેમને 4 વર્ષ માટે સેનામાં સેવા આપવાનો મોકો આપવામાં આવશે. આ 4 વર્ષમાંથી 6 મહિના સૈનિકની બેઝિક ટ્રેનિંગ આપવામાં આવશે. સૈનિકોને 30 હજારથી 40 હજાર વચ્ચેની સેલરી આપવામાં આવશે. તેમને ત્રણેય સેનાઓના સ્થાયી સૈનિકોની જેમ જ અવોર્ડ, મેડલ અને ઈન્સ્યોરન્સ કવર આપવામાં આવશે. ઈન્સ્યોરન્સ કવર 44 લાખ રૂપિયા સુધીનું હશે.
4 વર્ષ પૂરા થયા પછી માત્ર 25% અગ્નિવીરોની સ્થાયી કેડરમાં ભરતી કરવામાં આવશે. જે સૈનિક 4 વર્ષ પછી પણ સેનામાં કામ કરવા ઈચ્છતા હશે તેમને મેરિટ અને મેડિકલ ફિટનેસને આધારે મોકો આપવામાં આવશે. જે સૈનિક સ્થાયી કેડર માટે પસંદ થશે તેમને 15 વર્ષનો કાર્યકાળ પૂરો કરવો પડશે. પ્રાથમિક 4 વર્ષના કોન્ટ્રાક્ટમાં તેમને પેન્શન મળશે નહીં. જે 75% અગ્નિવીર આ સ્કીમમાંથી બહાર નીકળી જશે તેમને સેવાનિધિ પેકેજ આપવામાં આવશે. તે રૂપિયા 11થી 12 લાખનું પેકેજ અગ્નિવીરના મંથલી કોન્ટ્રીબ્યૂશનથી ફંડ કરવામાં આવશે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
SBI ભરતીમાં કૌભાંડ અને ગુજરાતીઓને અન્યાય થયો હોવાનો કોંગ્રેસનો આરોપ- Gujarat post
2022-06-25 20:26:39
એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ વડોદરામાં મળ્યાં, અમિત શાહ પણ હાજર હોવાની ચર્ચાઓ- Gujarat Post
2022-06-25 20:20:56
ગુજરાત ATSએ એક્ટિવિસ્ટ તિસ્તા સેતલવાડની કરી અટકાયત- Gujarat post
2022-06-25 20:03:51
શિવસેનાની કાર્યકારિણીમાં ઉદ્ધવનું બળવાખોરો સામે આક્રમક વલણ, મુંબઈમાં કલમ 144 લાગુ- Gujaratpost
2022-06-25 15:44:03
અમદાવાદ: પરિમલ ગાર્ડન પાસે દેવ કોમ્પલેક્ષમાં લાગી આગ, હોસ્પિટલમાંથી 10 નવજાત સહિત 50 લોકોનું રેસ્ક્યૂં- Gujarat post
2022-06-25 15:35:11
મોદીજીને પીડા સહન કરતા જોયા છે, ગુજરાત રમખાણોના ચૂકાદા બાદ અમિત શાહે કહ્યું- સોનાની જેમ સત્ય બહાર આવ્યું- Gujarat Post
2022-06-25 10:36:39
શું ઉદ્ધવ ઠાકરે આપશે રાજીનામું ? આઠવલે-ફડણવીસની થશે મુલાકાત- Gujarat Post
2022-06-25 09:46:27
તપન કુમાર ડેકા બન્યાં દેશના નવા IB ચીફ, રો ચીફ સામંતને એક વર્ષનું એક્સટેંશન- Gujaratpost
2022-06-24 21:30:05
રશિયા-યુક્રેન યુદ્ધના 4 મહિના, હવે આવી શકે છે સૌથી ખતરનાક સમય ! Gujarat Post
2022-06-24 09:07:07
અમેરિકામાં થયેલા ગોળીબારમાં ભારતીયનું મોત, માતા-પિતાએ કહ્યું અમે પહેલા જ જવાની પાડી હતી ના- Gujarat Post
2022-06-23 10:28:25
UPમાં ભયંકર અકસ્માત, હરિદ્વારથી પરત ફરી રહેલા 10 શ્રદ્ધાળુઓનાં મોત, મુખ્યમંત્રી યોગીએ વ્યક્ત કર્યો શોક- Gujarat Post
2022-06-23 09:15:26
પંજાબની ભગવંત માન સરકારે ભ્રષ્ટાચાર મામલે IAS અધિકારીની કરી ધરપકડ- Gujarat Post
2022-06-21 10:51:36