Fri,26 April 2024,9:32 pm
Print
header

બેંગલુરુઃ વીજળીના થાંભલા સાથે અથડાતાં Audi નો નીકળી ગયો કચ્ચરઘાણ, 7 લોકોનાં મોત

કર્ણાટકઃ બેંગલુરુમાં મધરાતે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રાત્રે 1.45 કલાક આસપાસ લકઝુરિયસ ઓડી કાર વીજળીના થાંભલા સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો ભીષણ હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો, ઓડીમાં સવાર તમામ લોકોના મોત થયા છે.

બેંગલુરુના કોરામંગલામાં આ દુર્ઘટના મધરાતે 1.45 કલાક આસપાસ બની હતી. ઓડી ક્યૂ 3 કાર ફૂલ સ્પીડમાં હતી, ડ્રાઇવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો, કારમાં સવાર 6 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા.

અકસ્માતમાં ઘાયલ એક વ્યક્તિનું સારવારમાં લઈ જતી વખતે રસ્તામાં મોત થયું હતું. દુર્ઘટનામાં ત્રણ મહિલા અને ચાર પુરુષોના મોત થયા હતા. અકસ્માત બાદ આસપાસના લોકો દોડી આવ્યાં હતા, મૃતકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch