Sat,20 April 2024,1:47 am
Print
header

જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં રિવર રાફ્ટિંગ વખતે બોટ પલટી, બે અમદાવાદીઓના મોત- Gujarat Post

પ્રતિકાત્મક ફોટો

 

શ્રીનગરઃ સોમવારે જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં રાફ્ટિંગ બોટ પલટી જતાં ગુજરાતના બે પ્રવાસીઓના મોત થયા હતા. અધિકારીઓએ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે પ્રવાસીઓનું એક જૂથ પહેલગામની લિડર નદીમાં રાફ્ટિંગ કરી રહ્યું હતું ત્યારે બોટ પલટી ગઈ હતી અને બે લોકોનાં મોત થઇ ગયા હતા.

અધિકારીઓએ જણાવ્યું હતું કે ત્રણ પ્રવાસીઓને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતા, જ્યાં પટેલ શર્મીલાબેન (51) અને પટેલ ભીખાભાઈ (51), બંને ગુજરાતના રહેવાસીઓને મૃત જાહેર કરવામાં આવ્યાં હતા. બંને અમદાવાદના સૈજપુરબોઘાના રહેવાસી હતા. એકને બચાવી લેવામાં આવ્યા છે. ટીમ સર્ચ ઓપરેશનમાં વ્યસ્ત છે અને વધુ વિગતો મેળવવામાં આવી રહી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch