તમિલનાડુઃ વિલ્લુપુરમ અને ચેંગલપટ્ટુ જિલ્લામાં નકલી દારૂ પીવાથી ત્રણ મહિલાઓ સહિત દસ લોકોનાં મોત થયા છે. અધિકારીઓએ જણાવ્યું કે વિલ્લુપુરમ જિલ્લાના મારક્કનમ નજીક એકકીરાકુપ્પમના રહેવાસી છ લોકોનું રવિવારે મૃત્યુ થયું હતું. જ્યારે મદુરંથાગામમાં શુક્રવારે બે લોકો અને રવિવારે એક દંપતીના મોત થયા હતા, આ ચારેય લોકો નકલી દારૂ પીવાથી મૃત્યુ પામ્યા હતા. બે ડઝનથી વધુ લોકો સારવાર હેઠળ છે અને માહિતી મુજબ તેઓ ઠીક છે.
આ ઘટના બાદ પોલીસ મહાનિરીક્ષક (ઉત્તર) એન કન્નને યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી હતી અને કહ્યું હતું કે તમામ 10 પીડિતોએ ઈથેનોલ-મિથેનોલ પદાર્થોથી ભરપૂર દારૂ પીધો હતો. તમિલનાડુના ઉત્તરીય પ્રદેશમાં નકલી દારૂના કારણે મૃત્યુની બે અલગ-અલગ ઘટનાઓ નોંધાઈ છે અને હજુ સુધી પોલીસને બંને ઘટનાઓ વચ્ચે જોડાણના કોઈ પુરાવા મળ્યાં નથી. પોલીસ સંભવિત કડીની ખાતરી કરવા માટે તપાસ કરી રહી છે.
બંને જિલ્લામાં નકલી દારૂની બે ઘટનાઓ સામે આવી છે. વિલ્લુપુરમ જિલ્લામાં છ લોકોને ઉલટી, આંખોમાં બળતરા અને ચક્કર આવવાની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આમાંથી ઘણા મૃત્યું પામ્યા હતા. આ ઘટનાના સંબંધમાં એક આરોપી અમરનની ધરપકડ કરવામાં આવી છે અને નકલી દારૂ જપ્ત કરવામાં આવ્યો છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
હોસ્ટેલમાં ઘૂસીને યુવકે યુવતિને માર્યા છરીના ઘા, ઘટના સીસીટીવીમાં થઇ કેદ- Gujarat Post | 2024-07-27 10:39:29
નિવૃત્ત IAS અધિકારી એસ.કે.નંદાનું નિધન, પુત્રીને મળવા ગયા હતા અમેરિકા- Gujarat Post | 2024-07-27 10:32:52
મુંબઈમાં બહુમાળી ઈમારત ધરાશાયી થતાં કાટમાળ નીચે અનેક લોકો દટાયા, બચાવ કામગીરી ચાલુ | 2024-07-27 09:06:39
ઠાકોર સમાજ માટે વપરાતા આ શબ્દનો હવેથી પ્રયોગ નહીં કરી શકાય- Gujarat Post | 2024-07-26 21:04:34
ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસનો કહેર, 120 જેટલા કેસ થયા, 40 થી વધુ બાળકોનાં મોત- Gujarat Post | 2024-07-26 14:09:31
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો અત્યારે ખરીદીનો શ્રેષ્ઠ સમય છે કે નહીં ? Gujarat Post | 2024-07-26 14:07:00
આજે હું એવી જગ્યાએથી બોલી રહ્યો છું જ્યાં.. પીએમ મોદીએ કારગિલથી પાકિસ્તાનને આપી આ ચેતવણી | 2024-07-26 13:45:15
કારગિલ વિજય દિવસ પર પીએમ મોદી પહોંચ્યાં લદ્દાખ, કહ્યું આતંકવાદનો ખાત્મો કરી નાખીશું | 2024-07-26 08:45:20