મુંબઈઃ એનસીબીના પૂર્વ અધિકારી સમીર વાનખેડેએ એક ચોંકાવનારી વાત કહી છે. તેમને કહ્યું છે કે માફિયા અતિક અહેમદની જેમ મારા પર પણ હુમલો થઈ શકે છે. યુપીના માફિયા ડોન અતિક અહેમદ પર પ્રયાગરાજમાં હુમલો થયો હતો. હુમલાખોરો મીડિયા પર્સન તરીકે આવ્યાં હતા અને ડોન પર ગોળીઓ ચલાવી હતી. જ્યાં તેનું મોત થઇ ગયું હતુ.
વાનખેડે મુંબઈ પોલીસ કમિશનર પાસે સુરક્ષા માંગશે
સમીર વાનખેડેએ કહ્યું કે તે મુંબઈ પોલીસ કમિશનર પાસે વિશેષ સુરક્ષા માંગશે. પૂર્વ NCB અધિકારી સમીર વાનખેડેની CBI દ્વારા 2 દિવસની પૂછપરછ બાદ તેમની અરજી પર કોર્ટમાં સુનાવણી થવાની છે. તેમને કહ્યું કે મને કોર્ટ પર પૂરો વિશ્વાસ છે, હું કોર્ટમાં બધું કહીશ. સીબીઆઈને તેમનો કેસ રજૂ કરવા દો, અમે સીબીઆઈને શુભેચ્છા પાઠવીએ છીએ.વાનખેડેએ કહ્યું કે મારી સાથે સુરક્ષા સંબંધિત સમસ્યા છે. એટલા માટે હું મુંબઈ પોલીસ કમિશનરના પત્ર દ્વારા સુરક્ષાની માંગ કરવા જઈ રહ્યો છું. સોશિયલ મીડિયા, ઈન્સ્ટાગ્રામ, ટ્વિટર વગેરે પર સતત ધમકીઓ મળી રહી છે. હું આ તમામ વિષયો પર મુંબઈ પોલીસ કમિશનર સાથે મળીને ચર્ચા કરવાનો છું.
શું છે આર્યન ખાન સાથે સંબંધિત કેસ
સમીર વાનખેડે પર શાહરૂખ ખાન પાસેથી 25 કરોડ રૂપિયાની લાંચ માંગવાનો આરોપ છે. શાહરૂખના પુત્ર આર્યન ખાનની 3 ઓક્ટોબર 2021ના રોજ કોર્ડેલિયા ક્રૂઝ શિપ પર દરોડા બાદ ધરપકડ કરવામાં આવી હતી. જો કે, બોમ્બે હાઈકોર્ટ દ્વારા આર્યનને તેની સામેના આરોપોને સાબિત કરવા માટે પૂરતા પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ રહેવા માટે 3 અઠવાડિયા પછી જામીન આપવામાં આવ્યાં હતા. જે પછી સીબીઆઈએ આરોપ લગાવ્યો હતો કે 3 ઓક્ટોબર, 2021ના રોજ NCB મુંબઈ ક્ષેત્રને ક્રૂઝ શિપ પર કેટલાક લોકો પાસે ડ્રગ્સ રાખવા અને તેનું સેવન કરવાની માહિતી મળી હતી. જે બાદ NCB ના કેટલાક અધિકારીઓએ આરોપીઓને છોડાવવાના બદલામાં લાંચ માંગવાનું ષડયંત્ર રચ્યું હતું.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
મુંબઈમાં બહુમાળી ઈમારત ધરાશાયી થતાં કાટમાળ નીચે અનેક લોકો દટાયા, બચાવ કામગીરી હાથ ધરી | 2024-07-27 09:06:39
ઠાકોર સમાજ માટે વપરાતા આ શબ્દનો હવેથી પ્રયોગ નહીં કરી શકાય – Gujarat Post | 2024-07-26 21:04:34
ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસનો કહેર, 120 જેટલા કેસ થયા, 40 થી વધુ બાળકોનાં મોત- Gujarat Post | 2024-07-26 14:09:31
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો અત્યારે ખરીદીનો શ્રેષ્ઠ સમય છે કે નહીં ? Gujarat Post | 2024-07-26 14:07:00
આજે હું એવી જગ્યાએથી બોલી રહ્યો છું જ્યાં.. પીએમ મોદીએ કારગિલથી પાકિસ્તાનને આપી આ ચેતવણી | 2024-07-26 13:45:15
કારગિલ વિજય દિવસ પર પીએમ મોદી પહોંચ્યાં લદ્દાખ, કહ્યું આતંકવાદનો ખાત્મો કરી નાખીશું | 2024-07-26 08:45:20
કળિયુગના પુત્રની કાળી કરતૂતઃ પહેલા માતાને મોતને ઘાટ ઉતાર્યા, પછી ક્રિએટ કર્યો લૂંટનો સીન- Gujarat Post | 2024-07-25 11:14:33
મુંબઈ, પુણેમાં આફતનો વરસાદ, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ- Gujarat Post | 2024-07-25 11:02:49