Fri,19 April 2024,4:56 pm
Print
header

Breking News- ફરીથી નોટબંધી ! રૂ.2000 ની નોટ પાછી ખેંચવાનો સરકારનો નિર્ણય

નવી દિલ્હીઃ ફરી એક વખત મોદી સરકારે નોટબંધી કરી છે, આ વખતે રૂ.2000 ની નોટનું સર્ક્યુલેશન બંધ કરવાનો નિર્ણય કર્યો છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા હવે 2000 રૂપિયાની ચલણી નોટ પાછી ખેંચશે. આરબીઆઇએ આ મામલે બેંકોને પણ ગાઇડલાઇન્સ આપી દીધી છે.

23 મે થી 30 સપ્ટેમ્બર સુધી તમે બેંકમાં જમા કરાવી શકો છો રૂ.2000 ની નોટ

હાલમાં માર્કેટમાં ચાલુ રહેશે 2000 ની ચલણી નોટ

રૂ.2000 ની નોટ છાપવાનું બંધ કરાયું છે

એક વખતમાં તમે રૂ.20000 સુધીની ચલણી નોટ બેંકમાં જમા કરાવી શકશો

આરબીઆઇએ નવી 2000ની ચલણી નોટનું સર્કયુંલેશન બંધ કરવાનો મોટો નિર્ણય કર્યો છે. રિઝર્વ બેંકે ક્લીન નોટ પોલિસી અંતર્ગત આ મોટો નિર્ણય લીધો છે. આગામી 30 સપ્ટેમ્બર સુધી 2000 ની નોટ બેંકને પરત કરવાની રહેશે.

નોંધનિય છે કે 2016માં નોટબંધી બાદ મોદી સરકારે 2000 રૂપિયાની નવી નોટ જારી કરી હતી અને હવે થોડા જ વર્ષોમાં આ નોટ પણ બંધ કરી દેવામાં આવી છે. જો કે તમે બેંકમાં આ નોટ બદલાવી શકો છો, જે માટે સમય મર્યાદા પણ નક્કિ કરવામાં આવી છે, જેથી તમારે ગભરાવવાની જરૂર નથી.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch