ગુજરાત સરકારે કરી જાહેરાત
મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાની સહાય
રાજસ્થાનઃ ભરતપુર જિલ્લામાં સવારે એક મોટો રોડ અકસ્માત થયો હતો. રસ્તાની બાજુમાં ઉભી રહેલી બસને ટ્રકે પાછળથી ટક્કર મારતા બસમાં મુસાફરી કરી રહેલા 12 લોકોનાં મોત થયા છે. જ્યારે 20 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.માહિતી મળતાં જ પોલીસે ઘટના સ્થળે પહોંચીને રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી.
મુસાફરોથી ભરેલી બસ ભાવનગરથી મથુરા તરફ જઈ રહી હતી. જયપુર-આગ્રા હાઈવે પર નાદબાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જયપુર આગ્રા નેશનલ હાઈવે પર હંતારા પુલ પર બસ બગડી હતી. ડ્રાઈવરે બસ ઊભી રાખી અને તેને ઠીક કરવાનો પ્રયાસ કરી રહ્યાં હતા. ત્યારે પાછળથી આવતી ટ્રકે બસને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 12 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. કેટલાક લોકો ઘાયલ થયા છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. અકસ્માતની માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.
બસ ભાવનગરથી મથુરા જઈ રહી હતી
પોલીસે જણાવ્યું કે આ બસ ભાવનગરથી જયપુર અને ભરતપુર થઈને ઉત્તર પ્રદેશના મથુરા જઈ રહી હતી. આ અકસ્માત સવારે 5 વાગ્યાની આસપાસ થયો હતો. મૃત્યું પામેલાઓમાં છ મહિલાઓ અને પાંચ પુરૂષો હતા. તમામ મુસાફરોને એમ્બ્યુલન્સ મારફતે જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવ્યાં હતા, જ્યાં ડોક્ટરોએ 12 લોકોને મૃત જાહેર કર્યા હતા, ગંભીર રીતે ઘાયલ લોકોની સારવાર ચાલી રહી છે.
પોલીસ કંટ્રોલ રૂમના જણાવ્યાં અનુસાર આ અકસ્માતમાં અંતુભાઇ, નંદરામભાઇ, લલ્લુભાઇ, ભરતભાઇ, લાલજીભાઇ, તેમના પત્ની મધુબેન, અંબાબેન, કમ્બુબેન, રામુબેન, અંજુબેન અને મધુબેનનું મૃત્યુ થયું છે. તેઓ ભાવનગરના દિહોરના રહેવાસી હતા.
રાજસ્થાનના ભરતપુર નજીક થયેલ માર્ગ અકસ્માતની ઘટના ખૂબ આઘાતજનક છે. અકસ્માતમાં ગુજરાતના યાત્રિકોએ જીવ ગુમાવ્યો છે. સૌ મૃતકોના પરિવારજનો પ્રત્યે મારી આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ઇજાગ્રસ્ત યાત્રિકો જલ્દીથી સાજા થાય તેવી પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું.
— Bhupendra Patel (@Bhupendrapbjp) September 13, 2023
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
મુંબઈમાં બહુમાળી ઈમારત ધરાશાયી થતાં કાટમાળ નીચે અનેક લોકો દટાયા, બચાવ કામગીરી હાથ ધરી | 2024-07-27 09:06:39
ઠાકોર સમાજ માટે વપરાતા આ શબ્દનો હવેથી પ્રયોગ નહીં કરી શકાય – Gujarat Post | 2024-07-26 21:04:34
ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસનો કહેર, 120 જેટલા કેસ થયા, 40 થી વધુ બાળકોનાં મોત- Gujarat Post | 2024-07-26 14:09:31
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો અત્યારે ખરીદીનો શ્રેષ્ઠ સમય છે કે નહીં ? Gujarat Post | 2024-07-26 14:07:00
આજે હું એવી જગ્યાએથી બોલી રહ્યો છું જ્યાં.. પીએમ મોદીએ કારગિલથી પાકિસ્તાનને આપી આ ચેતવણી | 2024-07-26 13:45:15
સુરત, વડોદરા અને આણંદ થયા જળમગ્ન, અમદાવાદમાં પણ ધીમી ધારે વરસાદ | 2024-07-25 11:10:22
ગુજરાતમાં ભારે વરસાદને કારણે 8 લોકોનાં મોત, રેલ અને રોડ સેવાઓને માઠી અસર | 2024-07-25 08:32:41
ભાજપ નેતાના પુત્ર સહિત બે યુવકો એમડી ડ્રગ્સ સાથે ઝડપાયા- Gujarat Post | 2024-07-24 10:40:27
ખંભાતમાં ACB ટ્રેપઃ 1,00,000 રૂપિયાની લાંચનો થયો પર્દાફાશ | 2024-07-24 10:01:30
કારગિલ વિજય દિવસ પર પીએમ મોદી પહોંચ્યાં લદ્દાખ, કહ્યું આતંકવાદનો ખાત્મો કરી નાખીશું | 2024-07-26 08:45:20
કળિયુગના પુત્રની કાળી કરતૂતઃ પહેલા માતાને મોતને ઘાટ ઉતાર્યા, પછી ક્રિએટ કર્યો લૂંટનો સીન- Gujarat Post | 2024-07-25 11:14:33
મુંબઈ, પુણેમાં આફતનો વરસાદ, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ- Gujarat Post | 2024-07-25 11:02:49