અમદાવાદઃ રાહુલ ગાંધી 7 માર્ચે તેમની ભારત જોડો ન્યાય યાત્રા સાથે ગુજરાતમાં પ્રવેશ કરશે. કોંંગ્રેસના નેતા મુકુલ વાસનિક ન્યાય યાત્રાની તૈયારીઓની સમીક્ષા કરવા ગુજરાત પહોંચ્યાં હતા. અમદાવાદ એરપોર્ટ પર પહોંચેલા કોંગ્રેસના નેતા મુકુલ વાસનિકે જણાવ્યું કે રાહુલ ગાંધી 7 માર્ચે ભારત જોડો ન્યાય યાત્રા સાથે ગુજરાતમાં પ્રવેશ કરશે. ભારત જોડો ન્યાય યાત્રાની તૈયારીઓને ધ્યાનમાં રાખીને અમે અલગ-અલગ સ્થળોની મુલાકાત લઈશું. બીજું શું કરવાનું બાકી છે તેની પણ અમે સમીક્ષા કરીશું
હિમાચલ પ્રદેશની વર્તમાન રાજકીય સ્થિતિ અંગે મુકુલ વાસનિકે કહ્યું કે, 2014થી અત્યાર સુધી ભાજપે હજારો હથિયારો વડે ભારતની લોકશાહી પર ચારે બાજુથી પ્રહારો કર્યા છે. તેઓએ અલગ-અલગ રીતે ભારતની લોકશાહીને નબળી બનાવી છે. ભાજપ આજ સુધી આવું જ કરતી આવી છે. ભાજપે હિમાચલ પ્રદેશમાં પણ આ જ કામ આગળ ધપાવ્યું છે, જેની અમે સખત નિંદા કરીએ છીએ. લોકશાહીમાં જનતાનો વિશ્વાસ અને જાહેર ગૌરવ જાળવવું પડે છે, પરંતુ હિમાચલમાં જે સ્થિતિ ઉભી થઈ છે તેનાથી વિપરીત છે.
ગઠબંધનમાં ઘણા મુશ્કેલ નિર્ણયો લેવા પડે છેઃ વાસનિક
જ્યારે ફૈઝલ અને મુમતાઝ પટેલ ભરૂચ લોકસભા સીટ આમ આદમી પાર્ટીને આપવાથી નારાજ હોવા અંગેનો પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે વાસનિકે કહ્યું કે વિવિધ રાજકીય પક્ષો સાથે ગઠબંધન કરતી વખતે ઘણી વખત મુશ્કેલ નિર્ણયો લેવા પડે છે. બધા સાથે વાતચીત કર્યાં બાદ અમે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે. વાસનિકે કહ્યું કે મને વિશ્વાસ છે કે તમામ મિત્રો સાથે મળીને અમારા ગઠબંધનના ઉમેદવારોની જીત માટે કામ કરશે.
અમારે નબળા દિલના લોકોની જરૂર નથી
ગુજરાતમાં કોંગ્રેસના નેતાઓ પાર્ટી છોડી રહ્યાં છે તે મુદ્દે મુકુલ વાસનિકે કહ્યું કે કોણે કયા કારણોસર પાર્ટી છોડી રહ્યું છે, તે વિચારવા જેવું છે. સંગઠનમાં કેટલાક લોકો વર્ષો સુધી કામ કરી રહ્યાં છે. બધાને તક પણ અપાઇ છે. પરંતુ નબળા દિલના લોકો પાર્ટી છોડી દે તો પાર્ટીને કોઈ નુકસાન નથી.ભારતની લોકશાહી અને બંધારણ સામે એક મોટો પડકાર આવી ગયો છે, આવા સમયે સંઘર્ષમાં મજબૂત હૃદયવાળા લોકોની જરૂર છે, નબળા હૃદયવાળા લોકો આ લડાઈ લડી શકશે નહીં.
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
નર્સે વોટ્સએપમાં મોકલી સ્યૂસાઇડ નોટ, જિંદગી હવે બોરિંગ થઇ ગઇ છે...હું એવી જગ્યાએ મરીશ કે તમને લાશ પણ નહીં મળે | 2024-05-03 12:16:34
વહુએ જ આપી હતી રૂ.10 લાખની સોપારી, હિંમતનગરમાં નિવૃત પોલીસકર્મી અને તેમના પત્નીની હત્યાનું રહસ્ય સામે આવ્યું | 2024-05-03 11:19:13
સાબરકાંઠામાં પ્રેમ પ્રકરણમાં પાર્સલ બ્લાસ્ટ કરાયો હતો...પત્નીના પ્રેમીની હત્યા માટે રચાયું હતુ આ ષડયંત્ર | 2024-05-03 10:49:50
વડોદરામાં ગરમીનો કહેર, હાર્ટ એટેકથી વધુ બે લોકોના જીવ ગયા- Gujarat Post | 2024-05-03 10:27:11
પરસોત્તમ રૂપાલાના કારણે આણંદમાં ભાજપને પડી શકે છે મુશ્કેલી, ક્ષત્રિયો છે નારાજ- Gujarat Post | 2024-05-03 10:17:26
રાયબરેલીથી રાહુલ અને અમેઠીથી કોંગ્રેસે ગાંધી પરિવારની નજીકની આ વ્યક્તિ પર લગાવ્યો દાવ | 2024-05-03 08:37:49
કોણ છે જામ સાહેબ શત્રુશલ્યસિંહજી ? જેમના ઘરે પીએમ મોદીએ જઈને લીધા હતા આશીર્વાદ | 2024-05-03 08:28:12
પાકિસ્તાન રાજકુમારને વડાપ્રધાન બનાવવા બેતાબ છે, PM મોદીએ રાહુલ પર કર્યો કટાક્ષ | 2024-05-02 17:14:50
વડોદરાના વાઘોડિયામાં ભાજપના(bjp) બેનરો ફાડી નાખવામાં આવ્યાં, જાણો વધુ વિગતો- Gujarat Post | 2024-05-02 08:52:56
ACB Trap- આ નાયબ કાર્યપાલ ઇજનેર રૂ. 1,20,000 ની લાંચ લેતા ઝડપાઇ ગયા | 2024-05-02 20:48:32
પીએમ મોદી આજથી ગુજરાતમાં બે દિવસ ચૂંટણી પ્રચાર કરશે, ક્ષત્રિયોના વિરોધની શક્યતા- Gujarat Post | 2024-05-01 09:07:37
અમિત શાહે નરોડામાં ચૂંટણી સભાને સંબોધી, કહ્યુ- નરોડા કે ગુજરાતનો એક એક વ્યક્તિ કાશ્મીર માટે જીવ આપવા તૈયાર છે | 2024-04-30 22:27:25
Amit shah news: અમિત શાહનો ફેક વીડિયો વાઇરલ કરવાનો કેસ, જીગ્નેશ મેવાણીના પીએ સહિત બે લોકોની ધરપકડ | 2024-04-30 14:34:02
હવે ગૃહમંત્રાલયનો નકલી અધિકારી ઝડપાયો, પોલીસે એન્જિનિયરની કરી ધરપકડ | 2024-04-25 09:27:03