નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શનિવારે ભારતીય જનતા પાર્ટી પર ફરીથી નિશાન સાધ્યું છે, વિદેશમાં દેશને બદનામ કરવાના આરોપોને લઈને તેમણે વળતા જવાબમાં કહ્યું કે તેમને કન્યાકુમારીથી- કાશ્મીર સુધી લગભગ 4,000 કિલોમીટર લાંબી ભારત જોડો યાત્રા કરવાની ફરજ પડી હતી કારણ કે લોકશાહીનું રક્ષણ કરતી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા આપતી તમામ સંસ્થાઓ પર ભાજપે કબ્જો કરી લીધો છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે તેમની ભારત જોડો યાત્રાએ આખા દેશને બતાવ્યું કે અસલી ભારત શું છે. ભારતના મૂલ્યો શું છે ? આપણો ધર્મ આપણને શું શીખવે છે ? આપણી જુદી જુદી ભાષાઓ શું કહે છે ? આપણી જુદી જુદી સંસ્કૃતિઓ આપણને કહે છે કે આપણે જુદા જુદા મંતવ્યો ધરાવતો દેશ છીએ. આપણામાં કોઈ દ્વેષ વિના, ક્રોધ અને અપમાન વિના સૌહાર્દપૂર્ણ રીતે સાથે રહેવાની ક્ષમતા છે, જ્યારે આપણે તે કરીએ છીએ ત્યારે જ આપણે સફળ થઈએ છીએ.ભાઇચારો અમારી યાત્રાને સંદેશ હતો.
કેમ્બ્રીજમાં રાહુલ ગાંધીના ભાષણ બાદ ભાજપે આરોપ લગાવ્યો કે ચૂંટણીમાં હાર બાદ તેમણે વિદેશમાં જઇને ભારતને વારંવાર બદનામ કર્યું છે. રાહુલ ગાંધીએ શનિવારે સાંજે ઇન્ડિયન જર્નાલિસ્ટ્સ એસોસિએશન (આઇજેએ) દ્વારા આયોજિત ઇન્ડિયા ઇનસાઇટ્સ ઇવેન્ટમાં પત્રકારોને જણાવ્યું કે, મને યાદ છે કે વડાપ્રધાન વિદેશ ગયા હતા અને કહ્યું હતું કે સ્વતંત્રતાના 70 વર્ષમાં કંઇ કરવામાં આવ્યું નથી. મને યાદ છે કે તેમણે કહ્યું હતું કે એક દાયકો ખોવાઈ ગયો છે, ભારતમાં મોટો ભ્રષ્ટાચાર છે. મને યાદ છે કે તેમણે આ વાત વિદેશમાં કહી હતી. મેં ક્યારેય મારા દેશનું અપમાન કર્યું નથી. મને તેમાં રસ નથી. હું તે ક્યારેય નહીં કરું.
હકીકત એ છે કે વિદેશમાંં જાય ત્યારે ભારતને બદનામ કરનાર વ્યક્તિ ભારતના વડાપ્રધાન છે. તમે તેમનું ભાષણ સાંભળ્યું નથી, જ્યાં તેમણે કહ્યું હતું કે આઝાદી પછી ભારતમાં કંઇ જ કરવામાં આવ્યું નથી. શું કોઈ ભારતીય તેનાં માતાપિતા, દાદા-દાદીનું અપમાન કરે છે ? કોંગ્રેસે ઓગસ્ટ 2015 માં દુબઈમાં મોદીની ટિપ્પણી માટે ટીકા કરી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે અમારી સરકારને વર્ષો જૂની સમસ્યાઓ જ મળી છે.
તે વર્ષે મે મહિનામાં દક્ષિણ કોરિયાની મુલાકાત દરમિયાન તેમણે કહ્યું હતું એક સમય હતો જ્યારે લોકો ભારતમાં જન્મ લેવાનો અફસોસ કરતા હતા, પરંતુ હવે ભારતમાં લોકો ગર્વ લઇ રહ્યાં છે, અમારી સરકારે અનેક કામો કર્યાં છે.
રાહુલ ગાંધીએ કેમ્બ્રીજ યુનિવર્સિટીમાં ભારતીય લોકશાહી પર હુમલો કરીને કહ્યું કે તેમની જાસૂસી થઇ રહી છે, તેમને ચીનને સારૂં ગણાવ્યું અને કાશ્મીરને હિંસક,આ ટિપ્પણીને પગલે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે નવી ખેંચતાણ શરૂ થઈ છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
CGST ના આ બાબુ 1500 રૂપિયાની લાંચમાં ઝડપાયા, ACB ના ઓપરેશનથી અન્ય અધિકારીઓમાં ફફડાટ | 2023-03-29 20:57:11
ફરાર અમૃતપાલસિંહનો સામે આવ્યો વીડિયો, કહ્યું- કોઈ મારો વાળ પણ વાંકો નહીં કરી શકે | 2023-03-29 18:18:24
મહાઠગ કિરણ પટેલની પત્ની માલિની પટેલના 3 એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર | 2023-03-29 18:01:23
પતિ-પત્નીએ મળીને મિત્રનું કાસળ કાઢી નાખ્યું, મિત્રને ઘરે બોલાવીને હત્યા કરીને શરીરના ટુકડા કેનાલમાં ફેંકી દીધા | 2023-03-29 17:38:54
2017 ના કેસમાં જીગ્નેશ મેવાણી, રેશ્મા પટેલ સહિત 10 લોકો નિર્દોષ જાહેર, જાણો શું હતો સમગ્ર મામલો ? | 2023-03-29 16:09:17
કર્ણાટકમાં વાગ્યું ચૂંટણીનું બ્યુંગલ, 10 મે ના રોજ મતદાન, 13 મે ના દિવસે પરિણામ | 2023-03-29 12:18:43
રાહુલ ગાંધીનું પીએમ મોદી પ્રત્યેનું ઝેર ખતરનાક બની રહ્યું છેઃ સ્મૃતિ ઈરાની- Gujarat Post | 2023-03-28 11:21:23
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, સાંસદ સભ્યનું પદ ગયા પછી હવે બંગલો ખાલી કરવા નોટિસ | 2023-03-27 18:21:37
વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યો સસ્પેન્ડ, રાહુલના સમર્થનમાં કાળા કપડા પહેરીને કર્યો હતો સૂત્રોચ્ચાર- Gujarat Post | 2023-03-27 12:35:47
ગેંગસ્ટર પાછો ડરી રહ્યો છે, પ્રયાગરાજથી અમદાવાદ પાછો લવાશે અતિક અહેમદને | 2023-03-28 17:29:55
પાનકાર્ડ- આધારકાર્ડ લિંક કરવાને લઇને સૌથી મોટા સમાચાર, સમય મર્યાદા આ તારીખ સુધી લંબાવાઈ | 2023-03-28 15:17:02
અપહરણ કેસમાં અતિક અહેમદને મળી આજીવન કેદની સજા, ઉમેશ પાલની માતાએ કહ્યું તેને ફાંસી થવી જોઈએ | 2023-03-28 14:50:13