જલંધરઃ વારિસ પંજાબ ડેના વડા અમૃતપાલ સિંહને લઇને મોટા સમાચાર સામે આવ્યાં છે. ખાલિસ્તાન સમર્થક અમૃતપાલસિંહની પંજાબ પોલીસે ધરપકડ કરી હોવાના અહેવાલ હતા પરંતુ હવે તે ફરાર છે. આ પહેલા અમૃતપાલ સિંહના 6 સાથીઓની હથિયારો સાથે ધરપકડ કરવામાં આવી હતી. અમૃતપાલસિંહના કાફલાનો પોલીસ પીછો કર્યો હતો, પરંતુ હજુ સુધી તે પોલીસના હાથમાં આવ્યો નથી. અમૃતપાલ સિંહ સામે 3 કેસ નોંધાયા છે. જેમાંથી 2 હેટ સ્પીચ સાથે સંબંધિત છે. ધરમકોટ નજીક મહિતપુર પોલીસ સ્ટેશનમાં તેની સામે કેસ દાખલ છે.
ਸਾਰੇ ਨਾਗਰਿਕਾਂ ਨੂੰ ਬੇਨਤੀ ਹੈ ਕਿ ਸ਼ਾਂਤੀ ਅਤੇ ਸਦਭਾਵਨਾ ਬਣਾਈ ਰੱਖਣ।
— Punjab Police India (@PunjabPoliceInd) March 18, 2023
ਪੰਜਾਬ ਪੁਲਿਸ ਕਾਨੂੰਨ ਵਿਵਸਥਾ ਬਣਾਈ ਰੱਖਣ ਲਈ ਕੰਮ ਕਰ ਰਹੀ ਹੈ।
ਨਾਗਰਿਕਾਂ ਨੂੰ ਬੇਨਤੀ ਹੈ ਕਿ ਉਹ ਘਬਰਾਉਣ ਨਾ ਅਤੇ ਜਾਅਲੀ ਖ਼ਬਰਾਂ ਜਾਂ ਨਫ਼ਰਤ ਭਰੇ ਭਾਸ਼ਣ ਨਾ ਫੈਲਾਉਣ। pic.twitter.com/9SHo2y4MFL
પંજાબમાં આવતીકાલ સુધી ઈન્ટરનેટ સેવા બંધ
સમગ્ર પંજાબમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. તમામ મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ, તમામ એસએમએસ સેવાઓ (બેન્કિંગ અને મોબાઇલ રિચાર્જ સિવાય) અને વોઇસ કોલ સિવાય મોબાઇલ નેટવર્ક પર પૂરી પાડવામાં આવતી સેવાઓ 12:00 કલાક સુધી સ્થગિત રહેશે. પંજાબ પોલીસે લોકોને રાજ્યમાં કાયદો, વ્યવસ્થા જાળવવા અને શાંતિ જાળવવાની અપીલ કરી છે.
કટ્ટરપંથી શીખ નેતા અને ખાલિસ્તાની સહાનુભૂતિ ધરાવતા અમૃતપાલ સિંહ છેલ્લા કેટલાક અઠવાડિયામાં પંજાબમાં એકદમ સક્રિય થઈ ગયો છે. કારણ કે ગયા મહિને અમૃતસરની બહારના વિસ્તારમાં આવેલા અજનાલા પોલીસ સ્ટેશનમાં તેના સમર્થકોએ એક સાથીને મુક્ત કરવાની માંગ સાથે પોલીસ સાથે અથડામણ કરી હતી. અમૃતપાલના છ સાથીઓની શનિવારે જલંધરમાંથી ધરપકડ કરવામાં આવી હતી.
કોણ છે અમૃતપાલ ?
અમૃતપાલ સિંહ વારિસ પંજાબ ડેના વડા છે. ગયા વર્ષે એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલી અભિનેત્રી દીપ સિંધુએ આ સંસ્થા શરુ કરી હતી. સિંધુના નિધન બાદ અમૃતપાલ સિંહ આ સંગઠનના નેતા બન્યાં હતા. દીપ સિંધુનું નામ ત્યારે ચર્ચામાં આવ્યું હતુ, જ્યારે ખેડૂત આંદોલન દરમિયાન ગણતંત્ર દિવસ પર થયેલી હિંસાના આરોપમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. અમૃતપાલ સિંહનો જન્મ પંજાબના જલ્લુપુર ખેરામાં થયો હતો. અમૃતપાલ સિંહ એક સ્વયંભૂ ઉપદેશક છે, જે પોતાને શીખ સમુદાયના પ્રતિનિધિ તરીકે ગણાવે છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
હોસ્ટેલમાં ઘૂસીને યુવકે યુવતિને માર્યા છરીના ઘા, ઘટના સીસીટીવીમાં થઇ કેદ- Gujarat Post | 2024-07-27 10:39:29
નિવૃત્ત IAS અધિકારી એસ.કે.નંદાનું નિધન, પુત્રીને મળવા ગયા હતા અમેરિકા- Gujarat Post | 2024-07-27 10:32:52
મુંબઈમાં બહુમાળી ઈમારત ધરાશાયી થતાં કાટમાળ નીચે અનેક લોકો દટાયા, બચાવ કામગીરી ચાલુ | 2024-07-27 09:06:39
ઠાકોર સમાજ માટે વપરાતા આ શબ્દનો હવેથી પ્રયોગ નહીં કરી શકાય- Gujarat Post | 2024-07-26 21:04:34
ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસનો કહેર, 120 જેટલા કેસ થયા, 40 થી વધુ બાળકોનાં મોત- Gujarat Post | 2024-07-26 14:09:31
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો અત્યારે ખરીદીનો શ્રેષ્ઠ સમય છે કે નહીં ? Gujarat Post | 2024-07-26 14:07:00
આજે હું એવી જગ્યાએથી બોલી રહ્યો છું જ્યાં.. પીએમ મોદીએ કારગિલથી પાકિસ્તાનને આપી આ ચેતવણી | 2024-07-26 13:45:15
કારગિલ વિજય દિવસ પર પીએમ મોદી પહોંચ્યાં લદ્દાખ, કહ્યું આતંકવાદનો ખાત્મો કરી નાખીશું | 2024-07-26 08:45:20