પ્રધાનમંત્રી અનેક વિકાસ કાર્યોની આપશે ભેટ
મોદી 5 દિવસમાં 12થી વધુ જનસભાઓ સંબોધશે
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને પાર્ટીઓ પ્રચાર વધારી રહી છે. આપના સંયોજક અરવિંદ કેજરીવાલ છેલ્લા એક મહિનામાં ત્રણ વખત ગુજરાત પ્રવાસે આવી ચૂક્યાં છે. ભાજપના કેન્દ્રીય નેતાઓ પણ ગુજરાત પ્રવાસ કરી રહ્યાં છે. ફરીથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવશે. મોદી પાંચ દિવસના ગુજરાત પ્રવાસે આવશે. અને પાંચ દિવસમાં 12થી વધુ જનસભાઓ સંબોધશે. પ્રધાનમંત્રી અનેક વિકાસ કાર્યોની ભેટ ગુજરાતને આપશે.
મોદી 29, 30 સપ્ટેમ્બરે સુરત, ભાવનગર, અંબાજીના પ્રવાસે આવવાના છે. તેઓ 9, 10 અને 11 ઓક્ટોબરના એમ ત્રણ દિવસ ગુજરાત પ્રવાસ પર છે. કુલ 5 દિવસમાં પીએમ મોદી અનેક કાર્યક્રમમાં હાજરી આપશે. પ્રધાનમંત્રી મોદી 9 ઓક્ટોબરે મોડાસાના પ્રવાસે આવશે. 10 ઓક્ટોબરે જામનગર અને ભરૂચ પ્રવાસે આવશે. તેઓ 11 ઓક્ટોબરે રાજકોટના જામકંડોરણા જશે.
ઉપરાંત કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 27 સપ્ટેમ્બરે ગુજરાતના પ્રવાસ આવી રહ્યાં છે. શાહ ગાંધીનગરના કલોલમાં રાજ્ય કામદાર વીમા યોજનાની અદ્યતન 150 બેડની હોસ્પિટલનું ખાત મુર્હૂત કરશે. ઉપરાંત તેઓ માણસા કુળદેવીના મંદિરમાં પરિવાર સાથે પૂજા-અર્ચના કરશે. અમિત શાહ અને મોદીના કાર્યક્રમને લઈને તાબડતોબ કામગીરી શરૂ કરી દેવાઇ છે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
રૂપાલાની ક્ષત્રિય સમાજને અપીલ, મહેરબાની કરીને પીએમ મોદીનો વિરોધ ન કરો | 2024-04-26 22:11:35
નિલેશ કુંભાણીને 6 વર્ષ માટે કોંગ્રેસમાંથી કરવામાં આવ્યાં સસ્પેન્ડ- Gujarat Post | 2024-04-26 21:39:16
આ PSI લાંચ લેતા ACB ના હાથે ઝડપાયા, આટલા રૂપિયાની લાંચ લીધી અને ઝડપાઇ ગયા | 2024-04-26 18:31:38
નિલેશ કુંભાણીએ વીડિયો બનાવીને કર્યો પોતાનો બચાવ, પ્રતાપ દૂધાત, કોંગ્રેસને લઈને કહી આ વાત- Gujarat Post | 2024-04-26 18:22:03
પદ ભોગવ્યું, પ્રતિષ્ઠા મેળવી, હવે પક્ષનું કર્જ ચૂકવો, ભાજપના ક્ષત્રિય નેતાઓને હાઈકમાન્ડનો આદેશ | 2024-04-26 10:39:46
Fact Check: પાકિસ્તાન ઝિંદાબાદનો નારો લગાવનારી યુવતીને રાહુલ ગાંધી નથી મળ્યાં ગળે, વાયરલ દાવો ખોટો છે | 2024-04-26 10:47:16