પેશાવરઃ પાકિસ્તાનના પેશાવર પોલીસ લાઈન્સ વિસ્તારમાં મસ્જિદમાં એક આત્મઘાતી હુમલાખોરે પોતાની જાતને ઉડાવી દીધી હતી. આ બ્લાસ્ટમાં 28 લોકોના મોત થયા છે અને 150 લોકો ઘાયલ થયા છે. બપોરે 1.40 વાગ્યે આ બ્લાસ્ટ થયો હતો. સુરક્ષા અધિકારીઓના જણાવ્યાં અનુસાર મસ્જિદમાં નમાજ પઢ્યા બાદ આત્મઘાતી હુમલાખોરે પોતાને ઉડાવી દીધો હતો. ઘાયલોને પેશાવરની લેડી રીડિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 13 લોકોની હાલત ગંભીર છે.
અધિકારીઓના જણાવ્યાં અનુસાર આ વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.આ ઘટના અંગે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને નિવેદન આપ્યું છે. તેમણે જીવ ગુમાવનારા લોકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને આતંકવાદ સામે ગુપ્તચર ઉપકરણોને મજબૂત બનાવવા અને સેનાને પુરતા સાધનો પૂરા પાડવાની માંગ કરી છે.
Strongly condemn the terrorist suicide attack in police lines mosque Peshawar during prayers. My prayers & condolences go to victims families. It is imperative we improve our intelligence gathering & properly equip our police forces to combat the growing threat of terrorism.
— Imran Khan (@ImranKhanPTI) January 30, 2023
પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે ઘાયલોમાં મોટાભાગના પોલીસકર્મીઓ હતા. હજુ સુધી કોઈ પણ આતંકવાદી જૂથે આ હુમલાની જવાબદારી લીધી નથી.જો કે પાકિસ્તાન તાલિબાન તરીકે ઓળખાતા તહરીક-એ-તાલિબાને અનેક વખત પાકને ધમકી આપી હતી.
પેશાવરના પોલીસ અધિક્ષક શઝાદ કુકાબે મીડિયાને જણાવ્યું કે વિસ્ફોટ ત્યારે થયો હતો, જ્યારે તેઓ નમાઝ પઢવા માટે મસ્જિદમાં પ્રવેશ્યા હતા. તેમને કહ્યું કે તે સદનસીબે તેઓ આ હુમલામાં બચી ગયા હતા. મસ્જિદનો એક ભાગ ધરાશાયી થયો હતો, પેશાવરની હોસ્પિટલોમાં ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે.
પેશાવર બ્લાસ્ટ બાદ ઈસ્લામાબાદ સહિત મોટા શહેરોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. કાર્યકારી મુખ્યપ્રધાન આઝમ ખાને આ હુમલાની નિંદા કરી હતી અને શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફે ટ્વિટ કરીને કહ્યું કે, દુઆ અને સંવેદના પીડિતોના પરિવાર સાથે છે. આતંકવાદના વધતા જતા ખતરાનો સામનો કરવા માટે આપણે આપણી ગુપ્ત માહિતી એકઠી કરીએ અને આપણા પોલીસ દળોને યોગ્ય રીતે સજ્જ કરીએ તે જરૂરી છે. ગયા વર્ષે શહેરના કોચા રિસાલદાર વિસ્તારમાં શિયા મસ્જિદમાં થયેલા આવા જ હુમલામાં 63 લોકોના મોત થયા હતા, આજના આ હુમલામાં અનેક પોલીસકર્મીઓના મોત થઇ ગયા છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
હોસ્ટેલમાં ઘૂસીને યુવકે યુવતિને માર્યા છરીના ઘા, ઘટના સીસીટીવીમાં થઇ કેદ- Gujarat Post | 2024-07-27 10:39:29
નિવૃત્ત IAS અધિકારી એસ.કે.નંદાનું નિધન, પુત્રીને મળવા ગયા હતા અમેરિકા- Gujarat Post | 2024-07-27 10:32:52
મુંબઈમાં બહુમાળી ઈમારત ધરાશાયી થતાં કાટમાળ નીચે અનેક લોકો દટાયા, બચાવ કામગીરી ચાલુ | 2024-07-27 09:06:39
ઠાકોર સમાજ માટે વપરાતા આ શબ્દનો હવેથી પ્રયોગ નહીં કરી શકાય- Gujarat Post | 2024-07-26 21:04:34
ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસનો કહેર, 120 જેટલા કેસ થયા, 40 થી વધુ બાળકોનાં મોત- Gujarat Post | 2024-07-26 14:09:31
હવે અમેરિકાની કમાન નવી પેઢીને સોંપવી પડશે, ચૂંટણીમાંથી હટવાની જાહેરાત બાદ પહેલી વખત બોલ્યાં બાઇડેન | 2024-07-25 08:58:06
ન્યૂઝીલેન્ડમાં બાળકો સહિત 2 લાખ લોકોનું અભદ્ર શોષણ થયાના અહેવાલે સનસનાટી મચાવી, PMએ માંગી માફી | 2024-07-24 14:30:08
કેનેડાઃ એડમોન્ટનમાં સ્વામીનારાયણ મંદિરની દિવાલ પર મોદી વિરોધી સૂત્રો લખાયા- Gujarat Post | 2024-07-24 10:37:32
અમેરિકાના સૌથી મોટા સમાચાર, જો બાઇડેન નહીં લડે રાષ્ટ્રપતિની ચૂંટણી, કમલા હોય શકે છે ડેમોક્રેટ ઉમેદવાર ? | 2024-07-22 08:16:19
જો બાઇડનને પણ પાછળ છોડી દીધા.. ટેસ્લાના એલોન મસ્કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પાઠવ્યાં અભિનંદન | 2024-07-20 09:41:27
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો અત્યારે ખરીદીનો શ્રેષ્ઠ સમય છે કે નહીં ? Gujarat Post | 2024-07-26 14:07:00
કારગિલ વિજય દિવસ પર પીએમ મોદી પહોંચ્યાં લદ્દાખ, કહ્યું આતંકવાદનો ખાત્મો કરી નાખીશું | 2024-07-26 08:45:20