ઓડિશા: બાલાસોરમાં બે પેસેન્જર ટ્રેન અને એક માલગાડી પાટા પરથી ઉતરી જતાં મૃત્યુઆંક વધીને 261 થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓડિશામાં ટ્રેન દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. પીએમ મોદી શનિવારે બપોરે બાલાસોર પહોંચ્યા હતા. આ દરમિયાન પીએમ મોદી સાથે રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ અને અધિકારીઓ હાજર હતા. તેમને દુર્ઘટના બાદ રાહત અને બચાવ કાર્યની સમીક્ષા કરી હતી.
Odisha | Prime Minister Narendra Modi at the site of #BalasoreTrainAccident where he reviewed the restoration work that is underway. pic.twitter.com/XZ8hA9MSK9
— ANI (@ANI) June 3, 2023
ઘટના સ્થળની મુલાકાત લીધા બાદ પીએમ મોદી કટકની હોસ્પિટલમાં ઘાયલોને મળ્યાં હતા. બાલાસોરમાં શુક્રવારે રાત્રે થયેલી ટ્રેન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 261 મુસાફરોના મોત થયા છે. 1000 થી વધુ લોકો ઘાયલ છે. કોરોમંડલ એક્સપ્રેસના ઘણા ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા, ત્યાર બાદ તે બીજી લાઇન પર સામેની લાઇનથી આવતી બીજી ટ્રેન સાથે અથડાઈ હતી. જેના કારણે આ દર્દનાક અકસ્માત સર્જાયો હતો.
#WATCH | Prime Minister Narendra Modi at the site of #BalasoreTrainAccident.#OdishaTrainTragedy pic.twitter.com/rlnQuM9ozS
— ANI (@ANI) June 3, 2023
ટ્રેન દુર્ઘટના અંગે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે ઓડિશાના બાલાસોરમાં થયેલ ભયાનક ટ્રેન દુર્ઘટના આ સદીની “સૌથી મોટી” ટ્રેન દુર્ઘટના છે અને સત્ય શોધવા માટે યોગ્ય તપાસની જરૂર છે. બે વખત રેલ્વે મંત્રી તરીકે સેવા આપી ચૂકેલા બેનર્જી બચાવ કામગીરીની દેખરેખ માટે શનિવારે બપોરે અકસ્માત સ્થળ પર પહોંચ્યાં હતા. તેમણે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને ત્યાં પહેલેથી હાજર અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે વાત કરી હતી.
બેનર્જીએ દુર્ઘટનામાં માર્યા ગયેલા પશ્ચિમ બંગાળના મુસાફરોના પરિવારજનોને પાંચ-પાંચ લાખ રૂપિયા વળતર આપવાની જાહેરાત કરી છે. તેમણે રેલવે અને ઓડિશા સરકારને પણ સંપૂર્ણ મદદની ઓફર કરી હતી.અમે ઘાયલોની મદદ માટે 70 એમ્બ્યુલન્સ, 40 ડોકટરો અને નર્સોને પહેલેથી જ મોકલી દીધા છે.
#BalasoreTrainAccident | West Bengal government announces a compensation of Rs 5 lakhs each for the next of kin of those people from the state who died in the accident. Rs 1 Lakh each announced for those with serious injuries and Rs 50,000 each for those with minor injuries: West… pic.twitter.com/8T7l7Yu3of
— ANI (@ANI) June 3, 2023
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
હોસ્ટેલમાં ઘૂસીને યુવકે યુવતિને માર્યા છરીના ઘા, ઘટના સીસીટીવીમાં થઇ કેદ- Gujarat Post | 2024-07-27 10:39:29
નિવૃત્ત IAS અધિકારી એસ.કે.નંદાનું નિધન, પુત્રીને મળવા ગયા હતા અમેરિકા- Gujarat Post | 2024-07-27 10:32:52
મુંબઈમાં બહુમાળી ઈમારત ધરાશાયી થતાં કાટમાળ નીચે અનેક લોકો દટાયા, બચાવ કામગીરી ચાલુ | 2024-07-27 09:06:39
ઠાકોર સમાજ માટે વપરાતા આ શબ્દનો હવેથી પ્રયોગ નહીં કરી શકાય- Gujarat Post | 2024-07-26 21:04:34
ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસનો કહેર, 120 જેટલા કેસ થયા, 40 થી વધુ બાળકોનાં મોત- Gujarat Post | 2024-07-26 14:09:31
આજે હું એવી જગ્યાએથી બોલી રહ્યો છું જ્યાં.. પીએમ મોદીએ કારગિલથી પાકિસ્તાનને આપી આ ચેતવણી | 2024-07-26 13:45:15
જૂઠ બૂમો પાડવાથી સત્ય નથી બની જતું, NEET પેપર લીક મુદ્દે સંસદમાં હંગામો, રાહુલ ગાંધીના નિવેદનથી ગુસ્સે થયા શિક્ષણ મંત્રી | 2024-07-22 12:29:46
હવે ઉજ્જૈનમાં પણ યોગી સરકાર જેવો આદેશ, દુકાનદારોએ તેમના નામ સાથે આ લખવું પડશે, મેયરે મુસ્લિમો વિશે કહી આ વાત | 2024-07-21 09:05:06
આગામી થોડા સમય માટે સી.આર.પાટીલ જ રહેશે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ ? Gujarat Post | 2024-07-20 09:48:01
જો બાઇડનને પણ પાછળ છોડી દીધા.. ટેસ્લાના એલોન મસ્કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પાઠવ્યાં અભિનંદન | 2024-07-20 09:41:27
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો અત્યારે ખરીદીનો શ્રેષ્ઠ સમય છે કે નહીં ? Gujarat Post | 2024-07-26 14:07:00
કારગિલ વિજય દિવસ પર પીએમ મોદી પહોંચ્યાં લદ્દાખ, કહ્યું આતંકવાદનો ખાત્મો કરી નાખીશું | 2024-07-26 08:45:20