Sat,27 July 2024,7:12 am
Print
header

કચ્છની નર્મદા કેનાલમાં એક જ પરિવારના 5 સભ્યોના ડૂબી જવાથી મોત- Gujarat Post News

કચ્છઃ નર્મદા કેનાલમાં ડૂબી જવાથી મુન્દ્રાના ગુંદાલા ગામના એક જ પરિવારના પાંચ સભ્યોના મોત થઇ ગયા છે. મૃતદેહોને કેનાલમાંથી બહાર કાઢીને હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા છે. આ ઘટનાથી શ્રમિક પરિવારોમાં માતમ છવાઈ ગયો છે. મૃતકોમાં ત્રણ મહિલા અને બે પુરુષોનો સમાવેશ થાય છે. મુન્દ્રાના ગુંદાલા ગામ પાસેથી નર્મદા કેનાલ પસાર થાય છે. જ્યાં એક મહિલા ડૂૂબી રહી હતી અને તેને બચાવવા એક પછી એક ગયેલા અન્ય 4 લોકોનાં પણ મોત થઇ ગયા.

કેનાલની બાજુના ખેતરમાં પરિવારના લોકો કામ કરી રહ્યાં હતા. ત્યારે આ ઘટના બની હતી. મૃતકોમાં રાજેશ ખીમજી, કલ્યાણ દામજી, હીરાબેન કલ્યાણ, રસિલા દામજી, સવિતાબેનનો સમાવેશ થાય છે. આ પરિવાર ખેતરમાં મજૂરીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ઘટનાની જાણ પોલીસને થતા સ્થળ પર પહોંચીને કાર્યવાહી શરૂ કરી હતી. 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch