Sat,27 July 2024,4:38 pm
Print
header

અદાણી સામે આક્રોશ, કેરળમાં પોર્ટનું કામ અટકાવવા પહોંચેલા માછીમારો અને પોલીસ વચ્ચે ઘર્ષણ- Gujarat Post News

કેરળઃ છેલ્લા ઘણા સમયથી અદાણી સામે માછીમારોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, કેરળમાં ત્રિવેન્દ્રમ પાસે અદાણી ગ્રુપને બંદર બનાવવાનું કામ મળ્યું છે. જેનો માછીમારોએ વિરોધ કર્યો છે, આજે અહીં મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતર્યાં હતા અને અદાણીને જે કામ અપાયું છે તે પાછું લઇ લેવા માંગ કરાઇ છે.

અહીં મોટું કન્ટેનર પોર્ટ-બંદર બની રહ્યું છે અને મોદીના ખાસ ગણાતા ગૌતમ અદાણીની કંપનીને આ કામ સોંપવામાં આવ્યું છે, માછીમારોની રોજગારી છીનવાય જાય તેમ છે, સાથે જ પ્રદુષણનો પણ ખતરો છે. જેથી છેલ્લા ઘણા સમયથી અહીં વિરોધ પ્રદર્શનો થઇ રહ્યાં છે. પરંતુ હવે તો અહીં હિંસા થઇ રહી છે, આજે પ્રદર્શનો થતા પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. સ્થાનિક લોકોએ પોર્ટનું કામ અટકાવવા માટે માલ લઇને આવી રહેલી ટ્રકો અટકાવતા મામલો બિચક્યો હતો.

દેશભરમાં અનેક પોર્ટ અને એરપોર્ટ હાલમાં અદાણીના કબ્જામાં છે, અદાણીની કંપનીઓ નિયમો નેવે મુકીને કામ કરતી હોવાના અનેક વખત આરોપ લાગ્યા છે, હવે કેરળમાં ડાબેરીઓની મદદથી વિરોધ ઉગ્ર બન્યું છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch