ઓટાવાઃ ભારતમાં 2019 થી પ્રતિબંધિત કેનેડાના ખાલિસ્તાન તરફી સંગઠન શીખ ફોર જસ્ટિસે (SFJ) ફરી એકવાર ભારતીય મૂળના હિંદુઓ વિરુદ્ધ ઝેર ઓક્યું છે. સંગઠને કહ્યું છે કે ભારતીય મૂળના હિંદુઓએ કેનેડા છોડી દેવું જોઈએ. SFJએ એક વિડિયો જાહેર કરીને કહ્યું કે કેનેડામાં રહેતા ભારતીય મૂળના હિંદુઓ તેમની ભારતીયતાની ઉજવણી કરે છે અને ખાલિસ્તાની નેતા' હરદીપ સિંહ નિજ્જરની હત્યાની ઉજવણી કરીને હિંસાને પ્રોત્સાહન આપે છે.
SFJના કાનૂની સલાહકાર ગુરપતવંત પન્નુને એક વીડિયોમાં કહ્યું, ભારતીય મૂળના હિંદુઓ, તમારું ઘર ભારત છે. કેનેડા છોડો, ભારત જાઓ. તમે લોકો માત્ર ભારતને જ સમર્થન નથી આપ્યું પરંતુ તમે ખાલિસ્તાન તરફી શીખોના ભાષણ અને અભિવ્યક્તિના દમનને પણ સમર્થન આપ્યું છે. ગુરપતવંત પન્નુનને ભારત સરકારે આતંકવાદી જાહેર કર્યો છે. SFJએ કહ્યું છે કે ટ્રુડો સરકારે એક હત્યા માટે ભારત સરકારને જવાબદાર ઠેરવી છે, જેનાથી તેમને મજબૂતી મળી છે.
"Hindus living in Canada, leave Canada as soon as possible": Khalistani terrorist Gurpatwant Singh Pannu threatens Hindus in Canada
— Organiser Weekly (@eOrganiser) September 19, 2023
.
.
.
.
.#KhalistaniTerrorist #Canada pic.twitter.com/PSCE40FgZ2
SFJની ધમકી પછી, કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની કામગીરી સામે સવાલ ઉભા થઇ રહ્યાં છે. તેઓ એક રીતે ખાલિસ્તાનીઓને રક્ષણ આપી રહ્યાં હોય તેમ લાગી રહ્યું છે. તેઓ હવે તેમના જ નાગરિકોને ધમકી આપી રહ્યાં છે, કારણ કે તેઓ હિન્દુ છે. હવે જસ્ટિન ટ્રુડો માટે કસોટીનો સમય છે. તેમની ઉદારતા ખાલિસ્તાનીઓ પ્રત્યે છે કે સામાન્ય હિંદુઓ પ્રત્યે છે.
સોમવારે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કેનેડાની સંસદમાં ભારત પર ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની હત્યામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો. આ આરોપ બાદ બંને દેશોના સંબંધો બગડી ગયા છે. ભારતે મંગળવારે કેનેડાના દાવાને વાહિયાત ગણાવીને ફગાવી દીધો છે. બંને દેશો વચ્ચે તણાવ એટલો વધી ગયો છે કે મામલો એકબીજાના રાજદ્વારીઓને બહાર કાઢવા સુધી પહોંચી ગયો છે.
કેનેડામાં રહેતા ભારતીય મૂળના હિંદુઓ માટે સુરક્ષાની ચિંતા વધી
ભારત અને કેનેડા વચ્ચેના તણાવને કારણે કેનેડામાં રહેતા ભારતીયોની સુરક્ષા અંગે ચિંતા વધી છે. ખાસ કરીને ભારતમાંથી અહીં અભ્યાસ માટે ગયેલા હજારો વિદ્યાર્થીઓએ સાવચેત રહેવાની જરૂર છે. બે દેશોની સરકારોના વિવાદ વચ્ચે હવે પન્નુનનો પ્રોપગેન્ડાનો વીડિયો સામે આવી રહ્યો છે જે ચિંતાજનક છે. કેનેડિયન હિંદુઓ ફોર હાર્મનીના પ્રવક્તા વિજય જૈને પન્નુનની ધમકી પર ચિંતા વ્યક્ત કરી છે. કેનેડાના હિંદુ મંત્રી અનિતા આનંદે ભારતીય હિંદુઓની સુરક્ષા અંગે વાત કરી છે.
તેમને એક પોસ્ટમાં કહ્યું કે દક્ષિણ એશિયાઈ અને ભારતીય દેશોના લોકો ધર્મને ધ્યાનમાં લીધા વિના સહમત થશે કે ટ્રુડોએ સોમવારે જે કહ્યું તેનાથી તેઓને દુઃખ થયું છે.આપણે કાયદાકીય પ્રક્રિયા પર વિશ્વાસ રાખવો જોઈએ. આપણે બધા શાંતિ, એકતા અને એકબીજા પ્રત્યે સહાનુભૂતિ રાખીએ.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
BIG NEWS: 17 દિવસના સંઘર્ષ બાદ તમામ 41 કામદારો સુરંગમાંથી આવ્યાં બહાર, પરિવારજનોમાં ખુશીનો માહોલ | 2023-11-28 20:17:44
Breaking News- આખરે બચાવી લેવાઇ 41 જિંદગીઓ, ટનલમાં ફસાયેલા કામદારો પાસે 17 માં દિવસે પહોંચી મેડિકલ ટીમ | 2023-11-28 14:59:46
Breaking News- માવઠાંને કારણે ખેડૂતોને થયેલા નુકસાન સામે સરકાર આપશે સહાય, જાણો વધુ વિગતો | 2023-11-28 14:35:26
રાજ્યમાં કમોસમી વરસાદ બાદ ઠંડીમાં લોકો ઠુંઠવાયા, અનેક શહેરોમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે પહોંચ્યું | 2023-11-28 09:43:37
ઉત્તરકાશી બચાવ કામગીરીને લઇને આવ્યાં મોટા સમાચાર, 5-6 મીટર ડ્રિલિંગનું કામ હજુ બાકી | 2023-11-28 09:22:39
દુનિયા ફરીથી ચિંતિત....ચીનમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે રહસ્યમય રોગ, ભારતે પણ જાહેર કરી એડવાઈઝરી | 2023-11-27 09:10:29
અમેરિકામાં 3 પેલેસ્ટિયન વિદ્યાર્થીઓને ગોળી મારવામાં આવી, પરિવારોએ કરી ન્યાયની માંગ | 2023-11-27 08:43:58
હમાસે 39 પેલેસ્ટિનિયન કેદીઓના બદલામાં 13 ઇઝરાયેલી બંધકોને મુક્ત કર્યાં, 7 વિદેશીઓનો પણ છૂટકારો | 2023-11-26 09:12:37
પાકિસ્તાનના કરાંચીના એક શોપિંગ મોલમાં લાગી આગ, 11 લોકોનાં મોત થઇ ગયા | 2023-11-25 17:05:26
વિદેશમાં વધુ એક હત્યા....અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીની ગોળી મારીને કરાઇ હત્યા, યુએસ પોલીસે તપાસ હાથ ધરી | 2023-11-24 08:12:01
મોરબીમાં દલિતને માર મારવાનો કેસ, વિભૂતિ ઉર્ફે રાણીબા સહિત ત્રણ લોકોની પોલીસે કરી ધરપકડ | 2023-11-27 15:03:55