ગાંધીનગરઃ આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ કોરોનાને લઇને માહિતી આપતા જણાવ્યું છે કે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાથી 24 લોકોનાં મોત થયા છે. નવા 371 કેસ સામે આવ્યાં છે. જ્યારે 269 દર્દીઓને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યાં છે. રાજ્યમાં કોરોનાનાં દર્દીઓનો આંકડો 12910 થયો છે, જેમાંથી 5488 લોકો રિકવર થયા છે અને કુલ 773 દર્દીઓનાં મોત થઇ ગયા છે. 24 કલાકમાં 5380 લોકોનાં કોરોનાં ટેસ્ટ કરવામાં આવ્યાં છે.
જયંતિ રવિએ માહિતી આપતા જણાવ્યું છે કે કોરોના વાયરસનો રિકવરી રેટ 42.50 ટકા થયો છે. નવા કેસોની વાત કરીએ તો અમદાવાદમાં 233, સુરત 34, વડોદરા 24, મહેસાણા 13, બનાસકાંઠા 11, મહિસાગર 9, અરવલ્લી 7, ગીર-સોમનાથ 6, ગાંધીનગર 5, કચ્છ 4, જામનગર 3, સાબરકાંઠા 3, દાહોદ 3, જૂનાગઢ 2, ખેડા 1 અને પાટણમાં 1 કેસ નોંધાયા છે.
અમદાવાદમાં સૌથી વધુ 9449 કેસ નોંધાયા છે, જેમાંથી 619 લોકોનાં મોત થયા છે અને 3330 દર્દીઓ ડિસ્ચાર્જ કરાયા છે, જ્યારે હાલમાં 5500 એક્ટિવ કેસ માત્ર અમદાવાદમાં છે.
વધુ સમાચારો માટે અમારા Facebook પેજને Like કરો
Facebook પેજની લિંક
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..
રૂપાલાની ક્ષત્રિય સમાજને અપીલ, મહેરબાની કરીને પીએમ મોદીનો વિરોધ ન કરો | 2024-04-26 22:11:35
નિલેશ કુંભાણીને 6 વર્ષ માટે કોંગ્રેસમાંથી કરવામાં આવ્યાં સસ્પેન્ડ- Gujarat Post | 2024-04-26 21:39:16
આ PSI લાંચ લેતા ACB ના હાથે ઝડપાયા, આટલા રૂપિયાની લાંચ લીધી અને ઝડપાઇ ગયા | 2024-04-26 18:31:38
નિલેશ કુંભાણીએ વીડિયો બનાવીને કર્યો પોતાનો બચાવ, પ્રતાપ દૂધાત, કોંગ્રેસને લઈને કહી આ વાત- Gujarat Post | 2024-04-26 18:22:03
પદ ભોગવ્યું, પ્રતિષ્ઠા મેળવી, હવે પક્ષનું કર્જ ચૂકવો, ભાજપના ક્ષત્રિય નેતાઓને હાઈકમાન્ડનો આદેશ | 2024-04-26 10:39:46