ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના સંક્રમણને લઈને મોટી રાહતના સમાચાર સામે આવ્યાં છે. છેલ્લા 24 કલાકમાં એક હજારથી પણ ઓછા નવા કોરોનાના કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોના સંક્રમણના 996 કેસ નોંધાયા છે. કોરોના વાયરસના સંક્રમણને કારણે 15 દર્દીઓના મૃત્યું થયા છે.કોરોનાથી કુલ મૃત્યુઆંક 9921 પર પહોચ્યો છે.રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. રાજ્યમાં વધુ 3004 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. સાજા થવાનો દર 96.32 ટકા છે.
રાજ્યમાં અત્યાર સુધી 7,85,378 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. હાલ એક્ટિવ કેસનો આંકડો 20087 પર પહોંચ્યો છે. જેમાંથી 382 દર્દી વેન્ટિલેટર પર અને 19705 લોકો સ્ટેબલ છે.
ક્યાં કેટલા મોત થયા ?
અમદાવાદ કોર્પોરેશ 4, વડોદરા કોર્પોરેશન 1, સુરત કોર્પોરેશનમાં 1, વડોદરામાં 1, સુરતમાં 2, રાજકોટમાં 1, જામનગર કોર્પોરેશન 1, અમરેલીમાં 1, સાબરકાંઠામાં 1, ભાવનગર કોર્પોરેશન 1 અને નર્મદામાં 1 દર્દીનું મોત થયું છે. સાથે જ ગુજરાતમાં સાંજે પાંચ વાગ્યા સુધીમાં કુલ 2,63,507 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
રૂપાલાની ક્ષત્રિય સમાજને અપીલ, મહેરબાની કરીને પીએમ મોદીનો વિરોધ ન કરો | 2024-04-26 22:11:35
નિલેશ કુંભાણીને 6 વર્ષ માટે કોંગ્રેસમાંથી કરવામાં આવ્યાં સસ્પેન્ડ- Gujarat Post | 2024-04-26 21:39:16
આ PSI લાંચ લેતા ACB ના હાથે ઝડપાયા, આટલા રૂપિયાની લાંચ લીધી અને ઝડપાઇ ગયા | 2024-04-26 18:31:38
નિલેશ કુંભાણીએ વીડિયો બનાવીને કર્યો પોતાનો બચાવ, પ્રતાપ દૂધાત, કોંગ્રેસને લઈને કહી આ વાત- Gujarat Post | 2024-04-26 18:22:03
પદ ભોગવ્યું, પ્રતિષ્ઠા મેળવી, હવે પક્ષનું કર્જ ચૂકવો, ભાજપના ક્ષત્રિય નેતાઓને હાઈકમાન્ડનો આદેશ | 2024-04-26 10:39:46